પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા વિક 2022 નો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા વિકનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતા ત્રણ વાર ગુજરાતીમાં ભાષણ આપ્યુ હતુ. જેમા તેમના દ્વારા ગુજરાતમાં વિધવા પેન્શન યોજનાને સીધી પોસ્ટ વિભાગ મારફત આપવા માટે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા વિકનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવતા ત્રણ વાર ગુજરાતીમાં ભાષણ આપ્યુ હતુ. જેમા તેમના દ્વારા ગુજરાતમાં વિધવા પેન્શન યોજનાને સીધી પોસ્ટ વિભાગ મારફત આપવા માટે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીને વિનંતી કરી હતી. જને સ્વીકાર તેમના દ્વારા કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાયે ડિજિટલ ઇન્ડિયા વિક પાર રાખવામાં આવેલા 200 જેટલા પ્રદર્શની મુલાકાત લીધી હતી. ઇલેક્ટ્રોનિક અને ડિજિટલી પ્રદ્યોગોકી વિભાગના સહયોગથી 4 અને 5 જુલાય સુધી પ્રદર્શન રાખવામાં આવશે.
આ ઉપરાંત "ઇન્ડિયસ્ટેક ગ્લોબલ", "માય સ્કીમ", "મેરી પહેચાન", "ડિજિટલ ઈન્ડિયા ભાષીની", "ડિજિટલ ઇમડીએ જેનિસિસ", "ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ પટોગ્રામ", તથા "કેટળાઇઝિંગ"નું પ્રારંભ પ્રધાનમંત્રી કરાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિરોધીઓ પર પ્રહાર કરતા જણાંવ્યું હતુ કે, જે તે સમયે આ વાતને લઇેન વિરોધીઓ ભારે વિરોધ કરતા હતા. જ્યારે વિધવા પેન્શન યોજના ઓનલાઇન કરવામાં આવી તો ખભર પડી કે તેમાથી મોટા ભાગની વિધવાઓ જન્મી જ નહોતી એટલે આ કોના ખાતામાં પૈસા જતા હતા.?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુભાષ ચંદ્ર બોઝને યાદ કર્યા હતા. 21 મી સદિમાં દર વર્ષે ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવા નવા આયામો જોડાતા જાય છે.
દાહોદનું દિવ્યાંગ કબલ ડિજિટલ ટેક્નોલોજોીના માધ્યથી ક્રોમા સર્વિસ સેન્ટરના માધ્યથી 28 હજાર રૂપિયા મહિને કમાય છે. દિલ્હીમાં યુવાનો ફ્રી વાઇ ફાઇના માધ્યથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. અને ઘરે જઇને પોતાના માતાના હોથની રોટલી ખાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયા વીક 2022 નો પ્રારંભ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી કર્યો હતો. પ્રધાનમત્રીએ આ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ટેક્નોલોજીનો સાચો ઉપયોગ કેવી રીતે કરાય તેનું સાચુ ઉદાહરણ સમગ્ર વિશ્વનને ભારતે આપ્યુ છે. મને આનંદ છે કે, 8 વર્ષ પહેલા શરૂ થયેલુ આ અભિયાન સમય સાથે પોતાનો પણ વિસ્તાર કરે ચે.
સમય સાથે સાથે જે દેશ આધુનિક ટેકનોલોજીને નથી આપનાવ તો તે સમય તેને પાછળ છોડીને આગલ નીકળી જાય છે. ત્રીજી ઔદ્યોગિક ક્રાતિના સમયે ભારત તેનો ભુક્ત ભોગી રહ્યુ છે. આજે આપણ એ ગર્વ સાથે કહી શકીએ છીએ કે, ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિ 4.O માં દુનિયાને દિશા દેખાડે છે.
ભારતની 8 વર્ષે પહેલાની પરિસ્થિતિને યાદ કરીએ તો જન્મ પ્રમાણ પત્ર લેવા માટે લાઇનમાં ઉભા રહેવુ પડતુ હતુ. બિલ જમા કરવા માટે લાઇનમાં ઉભી રહેવુ પડતુ હતુ. રાશન માટે લાઇન, એડમીશન માટે લાઇન, રિજલ્ટ અને સર્ટિફિકેટ માટે લાઇન, બેન્કોમાં પણ લાઇન આટલી બધી લાઇનોનું સમાધાન ભારતે ઓનલાઇન થઇને કર્યુ છે.
ડીબીટીના માધ્યમથી સીધા 23 લાખ કરોડ લાભાર્થીઓના ખાતામાં નાખવામાં આવ્યા છે. આ ટેન્કોલોજીના લીધે દેશના 2 લાખ 23 હજાર કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા અટક્યા છે. 8 વર્ષમાં ભારતે જે ડિજિટલ ક્ષેત્રમાં સામર્થ્ય ઉભૂ કર્યુ છે તેનાથી તેણે કોરોના વૈશ્વિક માહામારીનો સામનો કરવામાં ભારતને ભારે મદદ મળી છે.
અમારા દ્વારા દેશના કોરોડો મહિલા, ખેડૂતોના અને મજદૂરના ખાતામાં એક ક્લિક પર હજારો કરોડો રૂપિયા પહોચાડ્યા છે. વન નેશન વન રાશન કાર્ડની મદદથી 80 કરોડ સે અધિક દેશ વાસિયોને ફ્રીમાં રાશન આપ્યુ છે. આપણે દુનિયાના સૌથી મોટો કોવિડ રસિકરણનો અભિયાન ચલાવ્યુ છે.
વિદેશમાં પણ ભારતની બોલબાલા - IN-SPACE અને નવી ડ્રોન નીતિ જેવી જોગવાઈઓ આ દાયકામાં આવનારા વર્ષોમાં ભારતની ટેકની ક્ષમતાને નવી ઊર્જા આપશે. આજે, ભારત આગામી ત્રણ-ચાર વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને 300 ડોલર બિલિયનથી વધુ સુધી લઈ જવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. ભારત ચિપ ટેકરમાંથી ચિપ મેકર બનવા માંગે છે. સેમિકન્ડક્ટરનું ઉત્પાદન વધારવા ભારતમાં ઝડપથી રોકાણ વધી રહ્યું છે. આજે, ભારત આગામી 3-4 વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને ડોલર 300 બિલિયનથી વધુ સુધી લઈ જવાના લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. ભારત ચિપ ટેકરમાંથી ચિપ મેકર બનવા માંગે છે. સેમિકન્ડક્ટરનું ઉત્પાદન વધારવા માટે ભારતમાં રોકાણ ઝડપથી વધી રહ્યું છે. નવી નેશનલ એજ્યુકેશન પોલિસી પણ ટેક્નોલોજી માટે જરૂરી માનસિકતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવા જઈ રહી છે. દેશમાં અટલ ઇન્ક્યુબેશન સેન્ટરનું વિશાળ નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં બનાવમાં આવેલ ગિફ્ટ સીટી માટે જે કહ્યું હતું તે આજે ધરતી પર ઉતરી રહ્યું છે ગિફ્ટ સીટી ડેટા અને ફાયનાન્સ ક્ષેત્રે ગુજરાતનું નહીં પણ ભારતની આન બાણ અને શાન છે.
આજે ફક્ત મોલમાં જ નહીં પણ તેની સામે સામાન્ય લારી લાઈને બેઠા વેપારી પણ ડિજિટલ પેમેન્ટથી પૈસા લે છે. ડિજિયાલ પેમેન્ટ ગરીબ આમિર વેપારીની ખાઈ દૂર કરી છે. ભારતમાં દુનિયામાં 40 ટાકા લેણદેણ ડિજિટલ દ્વારા થાય છે. ભારતમાં પ્રતિ સેકેન્ડ 2 હજાર ટ્રાન્જેક્શન થાય છે.
આ કાર્યક્રમમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.