For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી 2014ની લોકસભાની ચૂંટણી લખનઉથી લડશે?

|
Google Oneindia Gujarati News

narendra modi
અમદાવાદ, 19 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની બંને તબક્કાની ચૂંટણી સમાપ્ત થઇ ગઇ છે, અને હવે તેના પરિણામના ગણતરીના કલાકો જ બાકી છે. જોકે વિવિધ એક્ઝિટ પોલ આ વખતે પણ મોદી સરકાર બનવાના દાવાઓ કરી રહ્યા છે. જોકે મોદી અને તેમની પાર્ટી આ અંગે પહેલેથી જ વિશ્વાસ ધરાવે છે કે ગુજરાતમાં ભાજપ હેટ્રીક બનાવશે.

જોકે હજી ચૂંટણી પરિણામ આવ્યું નથી અને એ પહેલા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીને 2014ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇની બેઠક લખનઉથી ઉભા રાખવાની કવાયત કરી રહી હોવાનું જાણવા મળે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ અંગે ગઇકાલે અરુણ જેટલી અને નરેન્દ્ર મોદી વચ્ચે મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, એવી પણ અટકળો છે કે નરેન્દ્ર મોદીએ અરુણ જેટલીએ લોકસભાની ચૂંટણીમાં વાજપેઇજીની બેઠક પરથી ઉભા રહેવાના પ્રસ્તાવ પર પોતાની સહમતિ પણ દર્શાવી દીધી છે.

આ અંગે પાર્ટીના એક સિનિયર નેતાએ જણાવ્યું હતું કે 'અટલ બિહારી વાજપેઇએ સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લઇ લીધી છે ત્યારે પક્ષ એવું ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી આ બેઠક પરથી વાજપેઇજીના કાર્યને આગળ ધપાવવાની આગેવાની સ્વીકારે'

English summary
Narendra Modi will fight loksabha Election from Lucknow?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X