For Quick Alerts
For Daily Alerts
મોદી 2014ની લોકસભાની ચૂંટણી લખનઉથી લડશે?
જોકે હજી ચૂંટણી પરિણામ આવ્યું નથી અને એ પહેલા જ ભારતીય જનતા પાર્ટી દ્વારા નરેન્દ્ર મોદીને 2014ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇની બેઠક લખનઉથી ઉભા રાખવાની કવાયત કરી રહી હોવાનું જાણવા મળે છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ અંગે ગઇકાલે અરુણ જેટલી અને નરેન્દ્ર મોદી વચ્ચે મળેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, એવી પણ અટકળો છે કે નરેન્દ્ર મોદીએ અરુણ જેટલીએ લોકસભાની ચૂંટણીમાં વાજપેઇજીની બેઠક પરથી ઉભા રહેવાના પ્રસ્તાવ પર પોતાની સહમતિ પણ દર્શાવી દીધી છે.
આ અંગે પાર્ટીના એક સિનિયર નેતાએ જણાવ્યું હતું કે 'અટલ બિહારી વાજપેઇએ સક્રિય રાજનીતિમાંથી નિવૃત્તિ લઇ લીધી છે ત્યારે પક્ષ એવું ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી આ બેઠક પરથી વાજપેઇજીના કાર્યને આગળ ધપાવવાની આગેવાની સ્વીકારે'
Comments
narendra modi arun jailety gujarat election loksabha election 2014 bjp lucknow ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી અટલ બિહારી વાજપેઇ લખનઉ ગુજરાત
English summary
Narendra Modi will fight loksabha Election from Lucknow?