Narmada dam : નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદી તોફાની
Narmada dam : નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડાતા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ફરી એકવાર જળબંબાકાર બન્યું છે.
નર્મદા નદી ફરીથી બે કાંઠે વહેવા લાગી છે, જેના પરિણામે ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના 92 પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. નર્મદા નદીની જળ સપાટી સતત અને ધીમી ગતિએ વધી રહી છે.

નર્મદા નદીમાં પાણીની સપાટી વધતા વહીવટી તંત્ર સક્રિય થયું છે અને ડભોઈ તાલુકાના નીચાણવાળા ગામો ચાંદોદ, કરનાડી, નંદેરીયા અને ભીમપુરામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ ગામોના નાગરિકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.
આ સીઝનમાં આ ત્રીજીવાર છે જ્યારે ચાંદોદ ખાતે નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એક તરફ નર્મદાના નીર અને બીજી તરફ છેલ્લા કેટલાક કલાકોથી ચાલી રહેલા ધોધમાર વરસાદને કારણે ચાંદોદ પંથકમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે વિવિધ સોસાયટી અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.












Click it and Unblock the Notifications
