નરોડા હત્યાકાંડ:અમિત શાહે માયા કોડનાનીના પક્ષમાં આપ્યું નિવેદન
નરોડા ગામ રમખાણો: અમિત શાહે સેશન્સ કોર્ટમાં માયા કોડનાની સાક્ષી તરીકે હાજરી આપી.
2002ના નરોડા ગામ રમખાણો મામલે માયા કોડાનાનીએ કોર્ટને નિવેદન આપ્યું હતું કે, અમિત શાહનું નિવેદન તેમને નિર્દોષ સાબિત કરવામાં મદદરૂપ થઇ શકે છે. નોંધનીય છે કે, આ મામલે માયા કોડનાની મુખ્ય આરોપીઓમાંના એક છે. માયા કોડનાનીની અરજી પર કોર્ટ દ્વારા અમિત શાહને હાજર રહેવા માટે સમન જાહેર કરવામાં આવ્યું હતું. સાથે જ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, જો આ વખતે અમિત શાહ કોર્ટમાં હાજરી ન આપી શકે તો કોર્ટ બીજી વાર સમન જાહેર નહીં કરે. આ મામલે સોમવારે સવારે અમિત શાહ સ્પેશિયલ એસઆઇટી કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને અહીં તેમણે માયા કોડનાનીના પક્ષમાં નિવેદન આપ્યું હતું.

અમિત શાહે કોર્ટમાં કહ્યું કે, રમખાણો સમયે સવારે 8.30 વાગ્યે માયા કોડનાની નરોડા ગામમાં નહીં, પરંતુ વિધાનસભામાં હાજર હતા. માયા કોડનાનીએ પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું હતું કે, વિધાનસભાથી નીકળી તેઓ જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમિત શાહ ત્યાં હાજર હતા. આ વાતની પણ પુષ્ટિ કરતાં અમિત શાહે કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું કે, હું સવારે 9.30 વાગ્યે સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો, એ સમયે ત્યાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હતું. પોસ્ટમોર્ટમ રૂમમાં મને પ્રવેશવાની પરવાનગી નહોતી, હું મૃતકોના પરિવારજનોને મળ્યો હતો. હોસ્પિટલમાંથી બહાર નીકળ્યો ત્યારે લોકોની ભીડ જમા થઇ હતી અને રોષે ભરાયેલા લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. હોસ્પિટલથી બહાર નીકળતી વખતે હું માયાબહેનને મળ્યો હતો. પોલીસ મને અને માયાબહેનને ભીડથી દૂર અમારી ગાડી સુધી પોલીસ જીપમાં લઇ ગઇ હતી. એ સમયે 11.00-11.15 થયા હતા.
કોર્ટમાં હાજર અમિત શાહને જજે કહ્યું કે, તમે જે પણ બોલશો તે નિવેદનમાં નોંધાશે, માટે બોલતા પહેલા વિચાર કરજો અને ન સમજાય તો ફરીથી પૂછજો. અમિત શાહે પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું કે, સવારે 9.30 વાગ્યે માયા કોડનાની હોસ્પિટલમાં હાજર નહોતા. હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે 10.30ની આસપાસ મેં તેમને જોયા હતા. સાથે જ તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે, એક જ પક્ષમાં હોવાથી માયાબહેનનો બચાવ કરું છું, એ સત્ય નથી. ઉલ્લેખનીય છે કે, માયા કોડનાનીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, રમખાણો થયા એ દિવસે સવારે તેઓ વિધાનસભા ગયા હતા અને ત્યાંથી સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. એ સમયે અમિત શાહ પણ હોસ્પિટલમાં હાજર હતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
