ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રિમકોર્ટમાં પડકારીશુ - સમસાદખાન પઠાણ પિડીત પક્ષના વકીલ
ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રિમકોર્ટમાં પડકારીશુ - સમસાદખાન પઠાણ પિડીત પક્ષના વકીલ
અમદાવાદમાં 14 વર્ષ પહેલા થયેલા નરોડા પાટીયાકાંડમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે ખુબ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં ભાજપ સરકારના પૂર્વ મંત્રી માયા કોડનાનીને હાઇકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. આ કેસમાં 32 આરોપીઓ પૈકી 16 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે, આ કેસમાં માયા કોડનાની બાદ બીજા મહત્વના આરોપી બાબુ બજરંગીને 31 વર્ષની સજાને બદલે હાઇકોર્ટે 21 વર્ષની સજા જાહેર કરી હતી. ગુજરાત હાઇકોર્ટે એ પણ મુલ્યાંકન કર્યું છે કે બાબુ બજરંગી સહિત ત્રણ આરોપીએ મુખ્ય ષંડયંત્રકારી છે. જો કે માયા કોડનાનીનો રોલ આ કેસમાં જોવા મળ્યો ન હોવાથી તેમને નિર્દોષ જાહેર કરાયા હતા.

ઉલ્લેખનનીય છે કે ટ્રાઇલ કોર્ટ દ્વારા માયા કોડનાનીને આરોપી માનીને સજા કરવામાં આવની હતી. બીજી તરફ આશીષ ખેતાન નામના પત્રકારે કરેલા સ્ટીંગ ઓપરેશનના રેકોર્ડીંગને ગુજરાત હાઇકોર્ટે પુરાવા તરીકે માન્ય રાખ્યો નહોતો ત્યારે ટ્રાઇલ કોર્ટે આ પુરાવાને માન્ય રાખ્યો હતો.
ગુજરાત હાઇકોર્ટના ચુકાદા બાદ પિડીતોના વકીલ સમશાદખાન પઠાણે કહ્યું હતુ કે ગુજરાતના ઇતિહાસમાં આઘાતજનક ચુકાદો છે. જે પુરાવાના આઘારે બાબુ બજરંગીને સજા આપવામાં આવી છે. તે પુરાવાના આઘારે માયા કોડનાની નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તે ચોંકાવનારી બાબત છે. હવે આ બાબતે અમે સુપ્રિમ કોર્ટમાં જઇશુ અને ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને પડકારવાના છીએ. જો કે હાઇકોર્ટના ચુકાદાને આ પહેલા અમે સ્ટડી કરીશુ અને અમારા તરફથી વધુ નિવેદન આપવામાં આવશે. જો કે એક વાત નક્કી છે કે આ ચુકાદો આઘાતજનક છે અને તેના લીધે મુખ્ય આરોપીઓને સજા કરવામાં આવી નથી.
નરોડાકાંડમાં 97 લોકોના મોત નીપજ્યા હતા અને જે ગુજરાતનો સૌથી મોટો હત્યાકાંડ હતો. આ અંગે ભાજપ દ્વારા રીએક્શન આપવામાં આવ્યું છે કે સત્યમેવ જયતે અને માયાબેન કોડનાની માટે અમને પહેલાથી જ વિશ્વાસ હતો અને તેને કોર્ટે માન્ય રાખ્યો છે. જ્યારે આ ચુકાદો આવતા જ માયાબેન કોડનાનીના ઘરે સરદારનગર ખાતે સીંધી સમાજના લોકો અને તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા.
આ અંગે માયાબેન કોડનાની પતિ સુરેન્દ્રભાઇએ જણાવ્યું હતુ કે ભગવાન અને ન્યાય પાલિકા પરનો વિશ્વાસ આજે સાબિત થયો છે. ઉલ્લેખનીય છેકે જ્યારે નરોડાકાંડનો બનાવ બન્યો હતો ત્યારે માયાબેન કોડનાની ભાજપ સરકારમાં મંત્રી હતા અને નરોડાકાંડ પહેલા તેમણે ટોળાને ઉશ્કેર્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જો કે ગુજરાતના સૌથી મોટા ચુકાદાને લઇને ભાજપ માટે એક હકારાત્મક બાબત છે તે પણ મહત્વની છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
