ગાંધી હત્યાના પાપી નથુરામના નાટકનો ગુજરાતમાં ભારે વિરોધ, શો રદ કરાયા
ગુજરાતમાં નથુરામ ગોડસે પર આધારિત નાટકને લઈને હાલ ભારે રાજકીય વિવાદ સર્જાયો છે. મુંબઈના કલાકારો દ્વારા પ્રસ્તુત આ નાટકનો રાજ્યના અનેક શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું.
રાજકોટમાં નાટકના સેટ પર તોડફોડની ઘટના બની હતી અને કલાકારો સાથે ઘર્ષણ થતા શો રદ થયો હતો. જામનગરમાં પણ પ્રદર્શન પૂર્વે પોસ્ટરો ફાડીને નાટકનો વિરોધ કરી શો અટકાવવામાં આવ્યો હતો.

અમદાવાદના બોડકદેવમાં પણ કોર્પોરેશનની દીવાલો પર ગોડસે અને સંઘ વિરુદ્ધ સૂત્રો લખીને રોષ વ્યક્ત કરાયો હતો. આ સમગ્ર વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરો અને NSUI ના નેતાઓ જોડાયા હતા.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ ઘટનાને ગાંધીના ગુજરાત માટે શરમજનક ગણાવી આકરી ટીકા કરી હતી. તેમણે સરકાર પર નિશાન સાધતા કહ્યું કે ગાંધીજીના અપમાનને જરાય ચલાવી લેવામાં આવશે નહીં.
ચાવડાએ વધુમાં જણાવ્યું કે જો આજે સરદાર પટેલ હોત તો આવા નાટક કરનારા જેલના સળિયા પાછળ હોત. ભાજપ સરકાર જાણીજોઈને આવા નાટકોને પ્રોત્સાહન આપી રહી હોવાનો તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો.
હાલમાં અભિવ્યક્તિની આઝાદી અને રાજકીય વિચારધારાઓ વચ્ચેના સંઘર્ષને કારણે વાતાવરણ તંગ બની ગયું છે. આગામી સમયમાં તંત્ર આ વિવાદિત નાટક અંગે શું નિર્ણય લેશે તેના પર સૌની નજર છે.
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી












Click it and Unblock the Notifications
