ગુજરાતભરમાં 197 સરકારી પુસ્તકાલયો કાર્યરત, રાજ્યમાં વાંચન વધારવા સરકાર 71 નવી લાઈબ્રેરી બનાવશે
National Book Read Day 2025: ગુજરાતના નાગરિકો નિયમિત વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશથી ગુજરાતના તત્કાલીન CM અને ભારતના પ્રવર્તમાન PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં 'વાંચે ગુજરાત' અભિયાન ચલાવ્યું હતું. તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાતના તમામ પુસ્તકાલયોને ગ્રંથથી સમૃદ્ધ બનાવવાનું આયોજન કર્યું હતું. પુસ્તક વાંચનના મહત્વને ધ્યાનમાં રાખીને CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યભરમાં સરકારી લાઈબ્રેરીની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ગુજરાતમાં કુલ 197 સરકારી લાઈબ્રેરી કાર્યરત
ગુજરાતમાં કુલ 197 સરકારી લાઈબ્રેરી કાર્યરત છે, જેમાં 33 જિલ્લા લાઈબ્રેરી અને 150 તાલુકા લાઈબ્રેરી સહિત મધ્યસ્ત લાઈબ્રેરી, ફરતી લાઈબ્રેરી, રાજ્ય કેન્દ્રીય અનામત ગ્રંથ ભંડાર, સ્ટેટ આર્ટ લાયબ્રેરી અને મહિલા ગ્રંથાલયોનો પણ સમાવેશ થાય છે. મધ્યસ્થ લાઈબ્રેરી ખાતે પ્રતિદિન 500થી વધુ વાચકો જ્યારે જિલ્લા લાઈબ્રેરી ખાતે પ્રતિદિન 150થી વધુ વાચકો છે.
6 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 6 સપ્ટેમ્બરનો દિવસ 'નેશનલ રીડ અ બુક ડે' એટલે કે 'રાષ્ટ્રીય પુસ્તક વાંચો દિવસ' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દરેક વ્યક્તિને પુસ્તક વાંચનનો આનંદ માણવા માટે તેમના દિવસમાંથી સમય કાઢવા માટે પ્રેરિત કરે છે. આ દિવસને ઊજવવાનો ઉદ્દેશ દરેક લોકો વાંચનની પ્રવૃત્તિમાં રસ લેતા થાય તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી તેઓ વાંચન પ્રવૃત્તિને કેળવી શકે અને વાંચનનો આનંદ લઇ શકે.
રાજ્યભરમાં સ્થિત સરકારી લાઈબ્રેરી નાગરિકોને વાંચન માટે પ્રેરિત કરે છે. રાજ્યના મધ્યસ્થ લાઈબ્રેરી ખાતે પ્રતિદિન 500થી વધુ નાગરિકો વાંચનનો લાભ લઇ રહ્યા છે, જ્યારે જિલ્લા લાઈબ્રેરી ખાતે પ્રતિદિન 150થી વધુ વાંચકો વાંચનનો લાભ લઇ રહ્યા છે. રાજ્યના જે જિલ્લા લાઈબ્રેરી ખાતે વાંચનની સુવિધા ઉપલબ્ધ છે, ત્યાં પ્રતિદિન 250થી વધુ વાચકો વાંચનનો લાભ લઇ રહ્યા છે, અને તાલુકા લાઈબ્રેરી ખાતે પણ 100થી વધુ વાચકો પ્રતિદિન વાંચનનો લાભ મેળવી રહ્યા છે.
રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં રહેતા આદિવાસી સમુદાયોના લોકોમાં વાંચન પ્રત્યે રસ જાગૃત થાય અને તેઓ વાંચન માટે પ્રેરાય તેવા ઉદ્દેશ્યથી રાજ્યના તમામ આદિવાસી તાલુકાઓમાં પણ લાઈબ્રેરી કાર્યરત કરવામાં આવી છે. રાજ્યના 7 આદિજાતિ જિલ્લાઓના 14 તાલુકાઓમાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે, જેના થકી આદિજાતિ સમુદાયને પણ વાંચન સેવાનો લાભ મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
