NEET Paper Leak Update: ગોધરા સાથે જોડાયા NEET પેપર લીક કૌભાંડના તાર, શંકાના ઘેરામાં 27 વિદ્યાર્થી

NEET Paper Leak Update: NEET-UG મેડિકલ પ્રવેશ પરીક્ષામાં કથિત ગેરરીતિઓ વચ્ચે, CBIની એક ટીમ તપાસ માટે સોમવારે ગુજરાતના ગોધરા શહેરમાં પહોંચી હતી.

વાસ્તવમાં ગોધરા પોલીસે 8 મેના રોજ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. આ લોકો પર 27 ઉમેદવારોને 10 લાખ રૂપિયા લઈને NEET-UG પરીક્ષા પાસ કરવામાં મદદ કરવાનો આરોપ છે.

પંચમહાલના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ની એક ટીમ ગોધરા પહોંચી હતી અને સ્થાનિક પોલીસ અધિકારીઓને મળી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે તેમને આ મામલાની તપાસ માટે શક્ય તમામ મદદ કરીશું.

અજાણ્યા વ્યક્તિઓ સામે FIR દાખલ - પેપર લીકના દાવાઓની તપાસ કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ અને મુકદ્દમાઓ વચ્ચે, સીબીઆઈએ રવિવારે આઈપીસીની કલમ 120-બી (ગુનાહિત કાવતરું) અને 420 (છેતરપિંડી) હેઠળ અજાણ્યા વ્યક્તિઓ સામે નવી એફઆઈઆર દાખલ કરી છે.

ગુજરાતના ગૃહ વિભાગે રવિવારે રાજ્ય પોલીસ દ્વારા નોંધાયેલા NEET-UG પેપર લીકના કેસ સીબીઆઈને સોંપવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેનાથી કેન્દ્રીય એજન્સીને તપાસ કરવાનો માર્ગ મોકળો થયો હતો.

NEET Paper Leak Update

ગુજરાત પોલીસે ઘણા લોકોની ધરપકડ કરી - NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિના સંદર્ભમાં ગુજરાત પોલીસે અત્યાર સુધીમાં ગોધરામાં એક શાળાના આચાર્ય અને શિક્ષક સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.

9 મેના રોજ નોંધાયેલી એફઆઈઆર મુજબ, ગોધરાની એક શાળામાં રેકેટનો પર્દાફાશ થયો હતો, જે મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે 5 મેના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષાના કેન્દ્ર તરીકે નિયુક્ત કરવામાં આવી હતી, જ્યારે જિલ્લા કલેક્ટરને માહિતી મળી હતી કે, આ કેસમાં કેટલાક લોકો સંડોવાયેલા છે.

7 લાખની રોકડ પણ મળી આવી - પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું હતું કે, ધરપકડ કરવામાં આવેલાઓમાં તુષાર ભટ્ટ, શાળાના આચાર્ય પુરુષોત્તમ શર્મા, વડોદરાના શિક્ષણ સલાહકાર પરશુરામ રોય, તેના સહયોગી વિભોર આનંદ અને કથિત વચેટિયા આરીફ વોહરાનો સમાવેશ થાય છે.

પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની ફરિયાદના આધારે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, જય જલારામ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને NEET માટે નાયબ કેન્દ્ર અધિક્ષક તરીકે નિયુક્ત થયેલા ભટ્ટ પાસેથી રૂપિયા 7 લાખ રોકડા મળી આવ્યા હતા.

ઉચ્ચ સ્તરીય સમિતિની રચના - શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓના પારદર્શક અને નિષ્પક્ષ સંચાલનને સુનિશ્ચિત કરવા ISRO અને IIT કાનપુરના પૂર્વ અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતામાં નિષ્ણાતોની એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે.

આ ઉપરાંત, NEET UG પરીક્ષા 2024માં કથિત ગેરરીતિઓની તપાસ પણ CBIને સોંપવામાં આવી છે. સરકારે આશ્વાસન આપ્યું છે કે પરીક્ષા સંબંધિત કોઈપણ ગેરરીતિમાં સામેલ કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X