ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે શપથ લેશે!
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનશે. શનિવારે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના આગામી મુખ્યમંત્રી બનશે. શનિવારે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી, જેમાં ભૂપેન્દ્ર પટેલને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું કે ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે ભૂપેન્દ્ર પટેલને એકલા શપથ લેવડાવશે, મંત્રીઓ પછીથી શપથ લેશે.

ધારાસભ્ય દળની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, ચૂંટણી સર્વસંમતિથી યોજાઈ છે અને નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ સમયે, ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે અમારા ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે. જે બાદ ભાજપે રાજ્યપાલ સાથે મુલાકાત મુલાકાત કરી હતી અને ધારાસભ્યોના સર્મથનનો પત્ર સોંપ્યો હતો.
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. તે ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલના નજીકના નેતા માનવામાં આવે છે. આનંદીબેન પટેલ પણ આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન રહી ચૂક્યા છે. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ સેવા આપી છે.
ગાંધીનગરમાં ધારાસભ્ય પક્ષની બેઠક બાદ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈ સક્ષમ છે અને અમને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં ભાજપ આવનારી ચૂંટણી સારી રીતે જીતશે. મુખ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવ્યા બાદ હવે મેં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે અને પાર્ટીના સંગઠનમાં નવી ઉર્જા સાથે કામ કરવાની મારી ઈચ્છા વ્યક્ત કરી છે. પક્ષ દ્વારા મને જે પણ જવાબદારી આપવામાં આવશે, હું ચોક્કસપણે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ સંપૂર્ણ જવાબદારી અને નવી ઉર્જા સાથે કામ કરવાનું ચાલુ રાખીશ.
વિજય રૂપાણી 2016 માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. આ પછી, 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ તે ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા. આ સ્થિતિમાં તેઓ લગભગ પાંચ વર્ષ સુધી સીએમ રહ્યા. ઉલ્લેખનિય છે કે છેલ્લા કેટલાક સમયથી અને તેમાં પણ ખાસ કરીને કોરોનાની બીજી લહેર બાદ વિજય રૂપાણીના રાજીનામાંની સતત ચર્ચા થઈ રહી હતી અને નવા મુખ્યમંત્રીને જવાબદારી આપવાની વાત હતી તે ચર્ચાનો આખરે અંત આવ્યો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
