રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ લીધી બનાસકાંઠાની મુલાકાત
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણી આજે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગ્રામજનો સાથે મુલાકાત લઇને તેની તેમના ફાઉન્ડેશન દ્વારા પૂરતી સહાય આપવાની ખાતરી આપી હતી.
રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ગામડાના લોકો જોડે મળીને પૂરમાં થયેલા નુક્શાન પર રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બનતી સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં પૂર બાદ ભારે તરાજી થઇ હતી. અને નીતા અંબાણી હંમેશાથી તેમના ચેરટી કાર્યો માટે જાણીતા છે. ત્યારે આજે તેમની આ મુલાકાતે ગામડાના લોકોની અનેક મુશ્કેલીઓ ઓછી કરી દીધી હતી.

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ આજે પાટણ અને બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને સાથે જ તેમણે પૂરગ્રસ્તોને જીવન જરૂરિયાત વસ્તુઓ અને સાધન સામગ્રીનું પણ વિતરણ કર્યું હતું. સાથે જ તેમણે પૂરગ્રસ્ત ચાર ગામોને દત્તક લેવાની જાહેરાત પણ કરી હતી. જેથી આ ચાર ગામોમાં રાહત અને પુનર્વસનની કામગીરી શરૂ કરી શકાય. વધુમાં રિલાયન્સના કર્મચારીઓ દ્વારા પૂરગ્રસ્ત બનાસકાંઠામાં 9 હજારથી વધુ ફૂટ પેકેટ, 500 જેટલા ઘાબળા અને 5000 જેટલી રસોઇની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે કપડાં અને ઘાસચારાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
#RF Chairperson Smt Nita #Ambani reassures a citizen of #Gujarat, pledging to do her best to provide #relief and #rebuild lives in the state pic.twitter.com/h5SncbQj7L
— Reliance Foundation (@ril_foundation) August 9, 2017
સાથે જ રિલાયન્સ ફાઉન્ડેશને હેલ્પલાઇન શરૂ કરીને આંતરિયાળ ગામોને બનતી મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આવું પહેલી વાર નથી બન્યું કે નીતા અંબાણી અને તેમના ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના ગામડાઓને મદદ પહોંચાડવામાં આવી હોય આ પહેલા પણ ભૂકંપ વખતે પણ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સહાય આપવામાં આવી હતી. સાથે દેશમાં અનેક જગ્યાએ આ ફાઉન્ડેશન દ્વારા અનેક ચેરીટી કાર્યો કરવામાં આવે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ











Click it and Unblock the Notifications
