હું પાર્ટી નહીં છોડું, વાત ખાતાની નથી સન્માનની છે : નીતિનભાઈ પટેલ
નીતિન પટેલે આખરે આપી સ્પષ્ટતા. કહ્યું હા હું પાર્ટીથી નારાજ છું કારણ કે વાત મારા માન સન્માનની છે. સાથે જ કહ્યું હું પાર્ટી છોડીને ક્યાંય નથી જવાનો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આખરે તેમની નારાજગી અંગે મીડિયાને સ્પષ્ટતા આપી છે. શનિવાર સવારથી જ એક પછી એક તેમના ત્યાં પાટીદાર નેતાઓનો જમાવડો અને ભાજપના બીજા તમામ નેતાઓની ચુપ્પી પછી નીતિન ભાઇએ બપોરે મીડિયા સમક્ષ આવીને તેમના ઘરની બહાર જ નારાજગી અંગે પ્રતિક્રિયા આપી હતી. નીતિન પટેલે મીડિયાને જણાવ્યું હતું કે "હું પાર્ટી નહીં છોડું, વાત ખાતાની નથી સન્માનની છે." વધુમાં નીતિન પટેલે જણાવ્યું કે તેમણે તેમની લાગણી પાર્ટી સમક્ષ રજૂ કરી છે. અને સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પાર્ટી આ વાતનો યોગ્ય નિર્ણય લેશે.

વળી તેમણે બે વાર આ અંગે મીડિયાને સ્પષ્ટતા આપી કે તે ખાતાની વહેંચણી અંગે નારાજ નથી પણ અહીં સવાલ મારા માન સન્માનનો છે. જો કે તેવું માનભંગ કેવી રીતે થયું તે અંગે નીતિન પટેલે કોઇ પણ સ્પષ્ટતા આપવાનું ટાળ્યું હતું. નોંધનીય છે કે ખાતા ફાળવણી થઇ તે પછીથી નીતિન પટેલ નારાજ છે તે વાતે વેગ પકડ્યો છે. વધુમાં નીતિનભાઇ પાસેથી ગૃહ અને નાણાં જેવા મહત્વના ખાતા પણ લઇ લેવામાં આવ્યા છે. સાથે જ આજ સવારથી લાલજી પટેલ, નરોત્તમ પટેલ જેવા નેતાઓ નીતિન પટેલને તેમના નિવાસ સ્થાને મળવા પહોંચ્યા છે. તો બીજી તરફ સવારથી આ મામલે ભાજપના તમામ નેતા ચુપ છે. ત્યારે આખરે આ મામલે નીતિન પટેલ સ્પષ્ટતા આપી છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી









Click it and Unblock the Notifications
