ગુજરાતમાં ભાજપ અને આપ વચ્ચે ચૂંટણી જંગ, કોંગ્રેસનું ક્યાંય અસ્તીત્વ નથી: ઇશુદાન ગઢવી
ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીં યોજાવા જઇ રહી છે. આ વખતે ગુજરાતમાં નવી આમ આદમી પાર્ટીનુ આગમન થયુ છે. ભાજપ અને કોગ્રેસ સિવાય આપ પણ આ વખતે મેદાનમાં છે. શુ આ વખતે આમ આદમી પાર્ટીને નવા વિક્લ્પ તરીકે જોવામાં આવી શકે
ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણીં યોજાવા જઇ રહી છે. આ વખતે ગુજરાતમાં નવી આમ આદમી પાર્ટીનુ આગમન થયુ છે. ભાજપ અને કોગ્રેસ સિવાય આપ પણ આ વખતે મેદાનમાં છે. શુ આ વખતે આમ આદમી પાર્ટીને નવા વિક્લ્પ તરીકે જોવામાં આવી શકે છે.? જેના પર આપના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ અને પૂર્વ પત્રકાર ઇશુદાન ગઢીએ એક ચેનલને જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટી ગુજરાતનો વિકલ્પ છે. ગુજરાતનો વિશ્વાસ છે.
તેમણે જણાવ્યું હતુ કે, ખેડૂતોને એવું લાગી રહ્યુ છે. કે, આપ આવશે તો અમારુ કંઇ ભલૂ થશે. બેરોજગારી, આઉટસોર્સિંગ કર્મચારીઓને અને ગરીબ લોકોને આશા છે.
ગઢવીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ગુજરાત ચૂંટણી આવતા જ પ્રધાનમંત્રી દર 15 દિવસે કે મહિનો આવા લાગે છે. ગુજરાતથી કેન્દ્રમાં જતી વખતે તેમણે પ્રતિબધતા બતાવી હતી. ખેડૂતો કહ્યુ હતુ કે, તમારી ઈન્કમ બમણી થશે. અત્યારે કંઇ જ બોલી નથી રહ્યા. બેરોજગારી યુવાનો સવાલ પુછી રહ્યા છે. યુવાનોને બે કરોડ નોકરી આપવાની વાત કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતુ કે, ભાજપના લોકો ભ્રષ્ટાચાર કરે છે. હવે પ્રધાનમંત્રીના ભાષણમાં પહેલા જેવો વિશ્વાસ નથી. તે વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. ગુજરાત માં પેપરો ફુટી રહ્યા છે યુવાનો અને જનતાને શુ મોઢુ દેખાડશે. પ્રધાનમંત્રી એટલા માટે આવે છે કે, સરકારી ખર્ચા પર પ્રચાર કરી શકે. ચૂટણીની જાહેરાત નથી થઇ તો પણ તે સભાઓ કરી રહ્યા છે.
ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, આમ આદમી પાર્ટી હવે ગુજરાતમાં વધુ એક વિકલ્પ તરીકે ઉબરી છે. અંહી કોંગ્રેસનો ખાતમો થઇ ગયો છે. હવે ચૂંટણી જંગ ફ્કત ભાજપ અને કોગ્રેસ વચ્ચે છે. 2017 માં કોંગ્રેસ વધારે મજબૂત હત. તે ત્યારે સત્તામાં ના આવી શકી કોંગ્રેસના નેતાઓએ સત્તા ભાજપના નેતાઓને આપી દિધી હતી. જના લીધે લોકોનો કંગ્રેસ પરથી ભરોષો ઉઠી ગયો છે.