બાંગ્લાદેશ બાદ સાબરમતી સુરંગકાંડમાં પાકિસ્તાનની પણ સંડોવણી

આ સમગ્ર ષડયંત્ર રચવામાં મુખ્ય ભેજાબાજ ભારતમાં ઇન્ડિયન મુઝાહીદ્દીન સંગઠનનાં ફાઉન્ડર અને 2001માં કોલકતામાં અમેરિકી દુતાવાસ પર હુમલો કરી પાકિસ્તાન નાસી છુટેલા આતંકવાદી અમિર રઝા ખાન હોવાનું બહાર આવી રહ્યું છે. અમીર રઝા ખાન સુરંગમાંથી ભગાડ્યા બાદ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી યાસીન ભટકલને ગુજરાતમાંથી બાંગ્લાદેશ ભગાડી જઇ ત્યાંથી પાકિસ્તાન મોકલવાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદ ક્રાઇમબ્રાંચની ઓફિસમાં રાખવામાં આવેલા સુરંગકાંડના પાંચ આતંકવાદીઓની પુછપરછમાં દરમિયાન આ ઘટસ્ફોટ થયો છે. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે વર્ષ 2001માં કોલકતામાં અમેરિકી દૂતાવાસ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલા પાછળ આઇ.એમ (ઇન્ડિયન મુઝાહીદ્દીન)નાં ફાઉન્ડર અમીર રઝા ખાન તથા આફતાબ અંસારી અને શાહિદ શેખના નામ ખુલ્યા હતા. તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓએ શાહિદ શેખ અને આફતાબ અંસારીને પકડી પાડયા હતા, જ્યારે મૂખ્ય સૂત્રધાર અમીર રઝા ખાન પાકિસ્તાન નાસી છુટયો હતો.
અમીર રઝા ખાન પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇ.એસ.આઇનો પણ એજન્ટ છે. આથી તેને પાકિસ્તાનમાં અન્ય આતંકી સંગઠનોની મદદ મળતા તે ત્યાંજ સ્થાયી થયો છે. પાકિસ્તાનમાં જ રહીને તે 'ભટકલ' બંધુઓની મદદથી તે ભારતમાં સતત આતંકી હુમલાના ષડયંત્ર રચતો રહ્યો હતો. યાસીન ભટકલ છેલ્લા કેટલાક સમયથી ભારતમાં હોવાની ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી હતી. દરમિયાન સુરંગકાંડનો પર્દાફાશ થતા વધુ ચોંકાવનારા ઘટસ્ફોટ થયા હતા.
અમદાવાદ ક્રાઇમબ્રાંચ સુરંગ કાંડના આતંકીઓની પુછપરછ કરી રહી છે. હાલમાં જ થયેલી 14 પૈકીના પાંચ આતંકવાદીઓની તપાસમાં આ મહત્વની વિગતો બહાર આવી હતી. સુરંગકાંડના આરોપીઓએ જ કબુલ્યું છે કે પાકિસ્તાનમાં બેઠેલા અમીર રઝા ખાનના ઇશારે યાસીન ભટકલ ગુજરાતમાં આવ્યો છે અને તે જ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આતંકીઓને સુરંગમાંથી જેલ તોડીને ભાગ્યા બાદ પહેલા દક્ષિણ ભારતના જંગલો અને ત્યાંથી કોલકતા લઇ જવાનો હતો. કલકતા પહોંચ્યા બાદ જંગલના રસ્તે બાંગ્લાદેશ પહોંચવાનો પ્લાન હતો. જ્યાંથી બોગસ પાસપોર્ટ બનાવી ઢાકાથી પાકિસ્તાન નાસી છુટવાનું ષડયંત્ર રચાયું હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
