...હરપળ ભારત આવવાનું વિચારતા પ્રવાસી ભારતીય

ગાંધીનગર, 7 જાન્યુઆરી: પ્રવાસી ભારતીય દિવસ એટલે કે અનિવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીને આખા ભારતમાં ઉજવવામાં આવે છે. 9 જાન્યુઆરી 1915ના રોજ પ્રવાસી ભારતીય દિવસના રૂપમાં માન્યતા આપવામાં આવી છે કારણ કે આ દિવસે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ભારત ફર્યા હતા. પ્રવાસી ભારતીય દિવસ 'પ્રવાસી ભારતીય મંત્રાલય'નો મુખ્ય કાર્યક્રમ છે.

આ દિવસને ઉજવવાની શરૂઆત વર્ષ 2003થી થઇ હતી. આ અવસર પર દર વર્ષે ત્રણ દિવસિય કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે જેમાં તે ભારતીયોને સન્માનિત કરવામાં આવે છે જેમને વિદેશમાં જઇને ભારતવર્ષનું નામ રોશન કર્યું છે.

nri

મૈં જહાં ભી રહૂં, મેં કહી ભી રહૂં તેરી યાદ આતી હૈ, ભલે શારિરીક રીતે ભારતીય કોઇપણ દેશમાં વસી ગયા હોય પરંતુ આજેપણ તેમનું દિલ ભારત માટે ધડકે છે. તે આજેપણ હોળી, દિવાળી, ઇદ ઉજવે છે. ટીમ ઇન્ડિયાની વિજયની પ્રાર્થના કરે છે અને દરેક પળ પરત આવવાનું વિચારે છે.

ઉદ્દેશ્ય
1. અપ્રવાસી ભારતીયોની ભારતના પ્રત્યે વિચારસણી, તેમની ભાવનાઓની અભિવ્યક્તિની સાથે જ તેમની પોતાની દેશવાસીઓની સાથે સકારાત્મક વાતચીત માટે એક મંચ ઉપલબ્ધ કરાવવી.

2. ભારતીયવાસીઓને અપ્રવાસી બંધુઓની ઉપલબ્ધિઓ વિશે જણાવવું તથા અપ્રવાસીઓને દેશવાસીઓની તેમની પાસે અપેક્ષાઓથી અવગત કરાવવા.

3. વિશ્વના 110 દેશોમાં અપ્રવાસી ભારતીયોનું એક નેટવર્ક બનાવવું.

4. ભારતના બીજા દેશો સાથે બનનાર મધુર સંબંધમાં અપ્રવાસીઓની ભૂમિકા વિશે સામાન્ય લોકોને જણાવવું.

5. ભારતની યુવા પેઢીને અપ્રવાસી ભાઇઓ સાથે જોડવા.

6. ભારતીય શ્રમજીવીઓને વિદેશમાં કોઇપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો તેના વિશે વિચાર-વિમર્શ કરવો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X