Opinion: આદિવાસીના વિકાસ માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ
Opinion: ગુજરાતના આદિવાસી પટ્ટામાં હાથ ધરવામાં આવેલા વિકાસના પ્રોજેક્ટોની યાદી ઘણી લાંબી છે. ગુજરાત સરકારે આદિવાસીઓના અધિકારો સુનિશ્ચિત કર્યા છે, જેઓ દાયકાઓથી વંચિત હતા.
ગુજરાત સરકારે રૂપિયા 5,200 કરોડથી વધુના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જેમાં મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ પ્રોગ્રામ સહિત રૂપિયા 4,500 કરોડના શૈક્ષણિક પ્રોજેક્ટ્સ છે. આ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 માટે શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે.
દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ, જેઓ એક સમયે વંચિત હતા, આજે વિવિધ સરકારી યોજનાઓની મદદથી વિકાસના શિખરે પહોંચી રહ્યા છે. આઝાદીના આટલા દાયકાઓ પછી આદિવાસીઓના ગૌરવને શ્રદ્ધાંજલિ આપવાની તક મળી, કારણ કે બિરસા મુંડાની જન્મજયંતિ હવે આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકારે આદિવાસીઓ માટેના બજેટમાં પાંચ ગણો વધારો કર્યો છે.

શિક્ષણ ક્ષેત્ર - મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 શાળાના શિક્ષણ પર સકારાત્મક અસર કરશે. દરેક જિલ્લામાં આવા કેન્દ્રો સ્થાપિત કરવાની તૈયારી સરકારની છે, આ માટે વિશ્વ બેંક વિદ્યા સમીક્ષા કેન્દ્રના પ્રોજેક્ટને સમર્થન આપવા તૈયાર છે.
પહેલા આદિવાસી પટ્ટામાં વિજ્ઞાન ભણાવતી કોઈ શાળા ન હતી. ગુજરાત સરકારે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલી નાખી છે. છેલ્લા બે દાયકામાં, 2 લાખ શિક્ષકોની ભરતી કરવામાં આવી છે અને 1.25 લાખથી વધુ વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તારોમાં વિજ્ઞાન, વાણિજ્ય અને કલા સંસ્થાઓનું ઊભરતું નેટવર્ક ઉભરી આવ્યું છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં માતૃભાષાના મહત્વ પર ભાર મૂક્યો છે. ગુજરાત સરકારે માતૃભાષામાં શિક્ષણ આપવાથી આદિવાસી વિદ્યાર્થીઓ માટે નવી તકો ઊભી કરી છે, જેનાથી આદિવાસી સમાજના લોકોને સશક્તિકરણ મળશે.
ગુજરાત સરકારે બજેટમાં આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 4374 કરોડની જોગવાઇ કરી - વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં યોજનાઓ હાથ ધરી વનબંધુઓના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર કાર્યરત છે. વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતરમાળખાકીય સગવડો ઉભી થાય તે માટે સરકારે પ્રયત્નો કર્યા છે. શૈક્ષણિક અને આર્થિક વિકાસની વિવિધ યોજનાઓ થકી આદિજાતિ પરિવારોને આરોગ્ય, શિક્ષણ અને આજીવિકાના ક્ષેત્રે લાભ આપવામાં આવી રહેલ છે.
શૈક્ષણિક ઉત્કર્ષ -
આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને ઈએમઆરએસ મળીને કુલ 837 જેટલી શાળાઓના અંદાજિત 1 લાખ ૫૨ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે 735 કરોડની જોગવાઈ
અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા 584 કરોડની જોગવાઈ.
આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સના બાંધકામ માટે 539 કરોડનું આયોજન.
સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયના 70 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા 269 કરોડની જોગવાઈ.
સરકારી છાત્રાલયો તેમજ આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે 255 કરોડની જોગવાઇ.
પ્રિ-મેટ્રિકના આશરે 15 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા 176 કરોડની જોગવાઈ.
દૂધ સંજીવની યોજના અંતર્ગત 150 કરોડની જોગવાઇ.
ધો. 1 થી 8માં અભ્યાસ કરતાં અંદાજે 13 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 120 કરોડની જોગવાઈ.
અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત 3900 વિદ્યાર્થીઓ માટે 23 કરોડની જોગવાઇ.
ધો, 9માં અભ્યાસ કરતી અંદાજે 39 હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા 21 કરોડની જોગવાઈ.
ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા 14 કરોડની જોગવાઈ.
રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે 6 કરોડની જોગવાઈ.
આર્થિક ઉત્કર્ષ
મુખ્યમંત્રી આદિમજુથ/હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ(CCD) પ્રોજેક્ટ હેઠળ 134 કરોડની જોગવાઈ.
કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે 35 કરોડની જોગવાઇ.
આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત 5000 થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે 26 કરોડની જોગવાઇ.
માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે કિટ આપવા 17 કરોડની જોગવાઈ.
આદિજાતિ વિસ્તારોમાં સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ/ડિસપેન્સોરી શરૂ કરવા માટે ડૉક્ટર્સને હોસ્પિટલ ખર્ચમાં સબસીડી આપવા માટે 13 કરોડની જોગવાઇ.
સંકલિત ડેરી વિકાસ યોજના (IDDP) હેઠળ દૂધાળા પશુઓની યુનિટ કોસ્ટ અને સહાયની મર્યાદામાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે 13 કરોડની જોગવાઇ.
આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ, કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેંક લોન પર સહાય આપવા માટે 6 કરોડની જોગવાઇ.
અન્ય જોગવાઇઓ
અનુસૂચિત જનજાતિના લોકોને નિ:શુલ્ક તબીબી સહાય યોજના અંતર્ગત ક્ષય, રક્તપિત્ત, કેન્સર, સિકલસેલ એનિમિયા, થેલેસેમિયા, એઇડ્સ જેવા ગંભીર રોગોની સારવાર માટે હાલ આપવામાં આવતી સહાયમાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે 33 કરોડની જોગવાઇ.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
