જાણો : ગુજરાતમાં BJP સરકારે કેવી રીતે આચર્યું બંદર કૌભાંડ?
અમદાવાદ, 7 ઓગસ્ટ : ગુજરાતમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસના અગ્રણી નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં આચરવામાં આવેલા બંદર કૌભાંડનો ઘટસ્ફોટ કર્યો છે. વાઘેલાએ જણાવ્યું છે કે રાજ્ય સરકારે 1995માં 10 બંદરોનો વિકાસ કરવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત મુન્દ્રા બંદરને સંયુક્ત રીતે વિકસાવવાના બદલે સરકારે આ બંદર અદાણીને પધરાવી દીધું હતું.
ગુજરાતમાં આચરવામાં આવેલા બંદર કૌભાંડના સંદર્ભમાં શંકરસિંહ વાઘેલાએ એમ પણ જણાવ્યું કે ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા થયેલી અનિયમિતતાની કોલગેટ કૌભાંડ જેટલી ગંભીરતાથી તપાસ કરવામાં આવે તો શાસકો માટે જેલના સળિયા સિવાય કશું બચે નહીં એવું વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું.

વાઘેલાએ કેગના અહેવાલમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડની કામગીરી અંગે કરેલી ઓડિટ ટિપ્પણીઓ ટાંકીને જણાવ્યું હતું કે સરકારે 10 બંદરોમાંથી ચાર બંદરો સંયુક્ત ક્ષેત્ર અને છ બંદરો ખાનગી ક્ષેત્રમાં વિકસાવવાનું નક્કી કર્યું હતું.
મુન્દ્રા બંદર સંયુક્ત ક્ષેત્રમાં વિક્સાવવાનું નક્કી થયું હતું પરંતુ સરકારે અદાણીને આપેલી કેપ્ટીવ જેટ્ટીની મંજૂરીનો ગેરલાભ લઈને પોતાની એપીએલને મેરિટાઈમ બોર્ડની જીપીઆઈડીસીએલ કંપની સાથે કરાર કરી મુન્દ્રા બંદરને પોતાનું કરી જવાનો કારસો કર્યો હતો.
આ અંતર્ગત બંનેની સંયુક્ત ભાગીદારીથી એક નવી કંપની ઊભી કરીને ક્ધસેસન કરારથી એકત્રીકરણ યોજના કરાઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકારનો શેરફાળો 26 ટકાથી ઘટીને 11 ટકા કરાયો પરંતુ શેરોની કિંમત અને મૂડીફાળાની ગોઠવણીથી સરકારનું ફન્ડિંગ માત્ર 8.55 ટકા થઈ જાય તેવો તખતો ઘડાયો હતો.
આમ આખરે માત્ર રૂપિયા 197 કરોડના ડિફરન્સથી આખું બંદર તત્કાલિન મોદી સરકારે અદાણીને ચરણે ધરી દીધું હતું. બાકીના એક પણ બંદરનો વિકાસ સરકારે થવા દીધો નથી. દહેજ બંદર અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ અને હજીરા અદાણી પોર્ટનો જ વિકાસ થયો છે.
બંદરો પર જેટીઓ બાંધવામાં પણ કૌભાંડો આચરાયા છે. પોલીસીની વિરુદ્ધ જઈને 61 જેટલીઓ કેપ્ટિવ રૂપે ધમધમે છે. ખાનગી જેટી-બંદરો 93 ટકા જેટલો બિઝનેસ કરે છે જ્યારે મેરિટાઈમ બોર્ડને માત્ર 6 ટકા જેટલો જ ધંધો મળે છે એવું તેમણે ઉમેર્યું હતું.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
