For Quick Alerts
For Daily Alerts
શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ અને તા.૫/૧૨/૨૦૨૨નાં રોજ મતદાન યોજાનાર છે. આ માટે રાજયના જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-૨૦૧૯ હેઠળ નોંધણી થયેલ શ્રમયોગીઓ/કર્મચારીઓ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ અને તા.૫/૧૨/૨૦૨૨નાં રોજ મતદાન યોજાનાર છે. આ માટે રાજયના જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-૨૦૧૯ હેઠળ નોંધણી થયેલ શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજૂર કરવાની રહેશે. કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં. આ જોગવાઈ અનુસાર રોજમદાર/કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર રહેશે. આ અંગે જો કોઈ માલિક જોગવાઈ વિરૂધ્ધ વર્તન કરશે તો દંડ અને શિક્ષાને પાત્ર થશે એમ રાજયના શ્રમ આયુકતની યાદીમાં જણાવાયું છે.
Comments
English summary
Paid leave to employees on polling day
Story first published: Tuesday, November 15, 2022, 19:37 [IST]