અમદાવાદ: માતાપિતાએ 13 વર્ષની માસૂમ દીકરીને દેહ વ્યાપારમાં ધકેલી, 8 લોકોએ કર્યો સામૂહિક બળાત્કાર
તપાસ કરનાર એક અધિકારીએ જણાવ્યુ કે આ મામલામાં ઓછામાં ઓછા 3 થી 4 એજંટ શામેલ છે. જેમાંથી એક આરોપી ઘણા વર્ષો બાદ જેલમાંથી બહાર આવ્યો છે...
અમદાવાદ પોલિસે ગુરુવારે 13 વર્ષની એક માસૂમ બાળકીને દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી. આરોપ એ છે કે આ બાળકી સાથે 8 લોકોએ ગેંગ રેપ કર્યો છે જેમાં ચાર વ્યક્તિ એક યુનિવર્સિટીના છાત્રો છે. પોલિસે જણાવ્યુ કે બાળકીએ પોતાના માતાપિતા પર જ વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલાની તપાસ કરી રહેલી પોલિસે અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરી છે જેમાં તેના માતાપિતા પણ શામેલ છે.

પોલિસે 9 લોકોની ધરપકડ કરી
પોલિસના જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાનાના ધોળકા તાલુકાના એક ગામમાંથી એક 13 વર્ષંની સગીરાને મુક્ત કરાવવામાં આવી છે જ્યાં કથિત રીતે એના માતાપિતાએ જ તેને ગ્રાહક પાસે મોકલી હતી. મૂળ પંજાબનો આ પરિવાર દિલ્હીમાં રહેતો હતો અને આશંકા છે કે તે વેશ્યાવૃતિ રેકેટનો હિસ્સો છે જે એક સ્થળેથી બીજા સ્થળે જતા રહેતા હોય છે.

14 નવેમ્બરથી ગુમ હતી સગીરા
પોલિસે જણાવ્યુ કે 21 નવેમ્બરે સગીરાના પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી અને જણાવ્યુ હતુ કે તેમની દીકરી 14 નવેમ્બરથી ગુમ છે. પોલિસને શરુઆતથી જ પરિવારની વાતો પર શંકા જણાઇ હતી. પૂછપરછ દરમિયાન તેમણે સ્વીકાર્યુ કે તેઓ જબરદસ્તીથી પોતાની દીકરી પાસે દેહવ્યાપાર કરાવતા હતા અને 14 નવેમ્બરે દીકરીને એક ગ્રાહક પાસે મોકલી હતી. ઝોન-6 ના ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યુ કે, 'ઘણી જગ્યાઓ પરથી મળેલી સૂચનાના આધારે અમે છાપા માર્યા અને બાળકીને શોધી લીધી.'

ત્રણ કલાક સુધી કરતા રહ્યા જબરદસ્તી
પીડિત સગીરાએ પોલિસને જણાવ્યુ કે, '14 નવેમ્બરે ત્યાં 8 લોકો હતા. તેમણે ત્રણ કલાક સુધી મારી સાથે જબરદસ્તી કરી.' પોલિસે તપાસ કરતા માલૂમ થયુ કે 8 આરોપીઓમાંથી ચાર વ્યક્તિ એક યુનિવર્સિટીના છાત્રો છે અને બીએસસી કરી રહ્યા છે. પોલિસે ચારેયની ધરપકડ કરી લીધી છે. પોલિસે કહ્યુ કે અમે જ્યારે બાળકીને પોલિસ સ્ટેશન લઇને આવ્યા અને તેના માતાપિતા સામે લાવ્યા ત્યારે તેણે કહ્યુ કે તે એમને મળવા માંગતી નથી. તેના માતાપિતાએ છટ્ઠા ધોરણ પછી તેનું ભણતર બંધ કરાવી દીધુ હતુ અને તેને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરી હતી.

અલગ અલગ રાજ્યોમાં દીકરીને લઇને ફરતા રહ્યા
પોલિસે જણાવ્યુ કે, 'તેના માતાપિતા વેશ્યાવૃત્તિના રેકેટનો હિસ્સો હતા જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇને કામ કરે છે. દિલ્હી ઉપરાંત તે જયપુર અને અન્ય રાજ્યોમાં પણ બાળકીને લઇને ગયા હતા.' મામલાની તપાસ કરી રહેલા એક અધિકારીએ જણાવ્યુ કે આ મામલામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર એજંટ શામેલ છે. જેમાંથી એક આરોપી ઘણા વર્ષો બાદ જેલમાંથી બહાર આવ્યો છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
