આ ગુજરાત છે જ્યાં ના લોકો પથ્થર તોડીને પાણી કાઢવાની ત્રેવડ રાખે છે: પરેશ રાવલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક દિવસ બાકી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્ટરા પ્રચારકોની ફૌજને મેદાને ઉતારી દિધા છે. ફિલ્મ અભિનેતા પરેશ રાવલે ભાજપના વલસાડના ઉમેદવાર ભરત પટેલના સમર્થનમાં જંગી સભાને સંબોધન કર્યુ હતુ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક દિવસ બાકી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સ્ટરા પ્રચારકોની ફૌજને મેદાને ઉતારી દિધા છે. ફિલ્મ અભિનેતા પરેશ રાવલે ભાજપના વલસાડના ઉમેદવાર ભરત પટેલના સમર્થનમાં જંગી સભાને સંબોધન કર્યુ હતુ.
ફિલ્મ અભિનેતા પરેલ રાવલે જાહેર સભા સંભોધતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી તરીકે ૨૦૦૧ માં ચૂંટાયા ત્યાર થી ૨૧ વર્ષ એમના અનુભવ વિશે જણાવયું હતું કે મહાત્મા ગાંધીજી પછી પહેલા વ્યક્તિ એવા આદરણીય નરેન્દ્ર મોદી છે જે લોકો ને પોતીકા લાગે છે. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કોરોના જેવી વૈશ્વિક મહામારી સમયે દેશ ના તમામ નાગરિકોને નિઃશુલ્ક વેકસીન આપવાનું ભગરીથ કાર્ય કર્યું હતું, કોરોના કાળમાં થાળી વગાડવાનું કામ એ હેલ્થ સેકટરમાં કામ કરનારા તમામ લોકોનો ઉત્સાહ વધારવા નું અભિવાદન કર્યું હતું જેને પણ કેટલાક લોકો એ માત્ર ટીકા નું કારણ બનાવી પોતાનો રાજકીય રોટલો શેકતા હતા,
દેશ વિદેશમાં પણ ભારત નું ગૌરવ વધારવાનું કામ કોઈ એ કર્યું હોય તો એ માત્ર ને માત્ર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે, કોંગ્રેસ પર પ્રહાર કરતા એમનું જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો યાત્રા કરવા નીકળ્યા છે જે માત્ર યાત્રા માંજ ચાલે પણ રાજકરણ માં ના ચાલે એવો કટાક્ષ કર્યો હતો, ૨૬/૧૧ ના મુંબઇ આતંકવાદી હુમલા ને કોંગ્રેસ એ હિન્દૂ ટેરર ગણાવ્યા હતા, સર્જીકલ સ્ત્રાઈક સમયે દેશની આર્મી પાસે સબૂત માંગ્યા હતા આવી માનસિકતા છે, ૩૭૦ ની કલમ,રામ મંદિર ના કામો ભાજપએ કર્યાં છે,કાશ્મીર માં ૫૬ હજાર કરોડ નું રોકાણ આવી રહ્યું છે આ સાથે જ તેમને મેહબુબા મુફ્તી પર પણ આકરા પ્રહારો કર્યાં હતા, બાબા કાશી વિશ્વનાથ ખાતે બનાવવામાં આવેલ કોરિડોર ના વખાણ કર્યા હતા, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મુસ્લિમ દેશો સાથે આત્મીયતા ના સંબંધો કેળવી એકતા ની મિશાલ ઉભી કરી છે, કોંગ્રેસે મેલી રમતો રમવા સિવાય કોઈ કામ કર્યું નથી,
પરેશભાઈ રાવલે જણાવ્યું હતું કે બધું મફત આપવાની લાલચની વાત કરનારી પાર્ટી કદાચ એ ભૂલી ગઈ છે કે આ ગુજરાત છે જ્યાં ના લોકો પથ્થર તોડીને પાણી કાઢવાની ત્રેવડ રાખે છે,સદંતર ખોટાળો વ્યક્તિ છે જેણે પોતાના બાળકોની ખોટી કસમો ખાધી છે,ગોપાલ ઇટાલીયા ને પણ આડે હાથ લીધા હતા, આ સાથેજ તેમણે ભાજપ ના વલસાડ વિધાનસભા ના ઉમેદવાર ભરતભાઇ પટેલ ને જંગી બહુમતી થી જીતાડવા અપીલ કરી હતી