આઝાદી બાદ ગુજરાતની આ સીટ પર જે અત્યાર સુધી જીત્યુ તેની જ બની કેન્દ્રમાં સરકાર
ગુજરાતની વલસાડ લોકસભા સીટ એવી છે જ્યાંથી જે ઉમેદવાર ચૂંટણી જીતે છે તેની જ દિલ્લીમાં સરકાર બને છે.
ગુજરાતની વલસાડ લોકસભા સીટ એવી છે જ્યાંથી જે ઉમેદવાર ચૂંટણી જીતે છે તેની જ દિલ્લીમાં સરકાર બને છે. આ કોઈ જાદૂ નથી પરંતુ વર્ષો જૂની પરંપરા છે. 2014માં ભાજપના ઉમેદવાર જીત્યા હતા તો દિલ્લીમાં ભાજપની મોદી સરકાર આવી હતી. હવે 2019માં ભાજપના ઉમેદવારે વલસાડ સીટથી ચૂંટણી જીતી છે અને બીજી વાર ભાજપની મોદી સરકાર કેન્દ્રમાં આવવાની છે.

વલસાડ સીટનો જાદૂ
વલસાડની એક પરંપરા છે કે જે ઉમેદવાર વિજેતા હોય છે તે પાર્ટીને કેન્દ્રમાં લાભ મળે છે. ભાજપ અને કોંગ્રેસ બંને જ આ બેઠક પર નજર રાખી રહ્યા હતા. ગુજરાતમાં સૌથી વધુ વોટિંગ પણ આ સંસદીય વિસ્તારમાં જ થયુ છે અને આનુ પરિણામ ભાજપના પક્ષમાં ગયુ છે. 2004 અને 2009માં વલસાડ સીટથી કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા ગતા અને કેન્દ્રમાં સમર્થિક યુપીએ સરકાર બની હતી.

આ સીટનો અનોખો ઈતિહાસ
વલસાડની ખાસિયત એ છે કે 1962થી જે પાર્ટીના ઉમેદવાર અહીંથી જીત્યા છે તે પાર્ટીની કેન્દ્રમાં સરકાર બની જાય છે. કોંગ્રેસના ઉમેદવાર જીત્યા તો કોંગ્રેસે સરકાર બનાવી. જો જનતા દળના ઉમેદવાર જીત્યા તો જનતા દળે સરકાર બનાવી છે અને ભાજપના ઉમેદવાર જીત્યા ત્યારે ભાજપે સરકાર બનાવી છે. કોંગ્રેસના રાહુલ ગાંધી આ વખતે વલસાડ સીટથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. કોંગ્રેસના સોનેરી દિવસો દરમિયાન, 1957થી 1977 સુધી વલસાડથી નાનુભાઈ પટેલ અને ઉત્તમ પટેલ જીત્યા હતા. અર્જૂન પટેલે 1989માં જનતા દળથી જીત મેળવી હતી ત્યારે કેન્દ્રમાં જનતા મોરચાની સરકાર હતી. 1996-1999ના કાર્યકાળમાં ભાજપના મનુભાઈ ચૌધરી આ સીટથી જીત્યા અને કેન્દ્રમાં ભાજપ સમર્થિત એનડીએ સરકારનો ઉદય થયો હતો.

આ વખતે કોંગ્રેસ ન જીતી શકી
2004 અને 2009માં કેન્દ્રમાં એનડીએ સરકાર હતી ત્યારે વલસાડથી કોંગ્રેસ ઉમેદવાર કિશન પટેલ જીત્યા હતા. ગયા વર્ષે ભાજપના કે સી પટેલે ચૂંટણી જીતી હતી અને કેન્દ્રમાં મોદીન સરકાર હતી. વલસાડ સીટ પર જીત કોંગ્રેસ માટે ઐતિહાસિક સાબિત થઈ છે. ઈન્દિરા ગાંધી 1980માં ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં ઈન્દિરા ગાંધી, 1984માં રાજીવ ગાંધી અને 2004માં સોનિયા ગાંધી વલસાડના ધરમપુર સ્થિત લાલ ડુંગરી મેદાનમાં જનસભાઓને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ 2019માં અહીંથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો પરંતુ આ વખતે વલસાડ સીટ કોંગ્રેસ જીતી શકી નહિ.

આદિવાસી મતદારોથી ભરેલી છે વલસાડ સીટ
વલસાડ સીટ આદિવાસી મતદારોથી ભરેલી છે. ઢોડિયા અને કુકનાની બે પેટા જાતિઓની રાજનીતિ લોકસભામાં જોવા નથી મળતી. વલસાડ જિલ્લાના શહેરી વિસ્તારોમાં ભાજપ બુલંદ છે જ્યારે ગ્રામીણ સમાજાં કોંગ્રેસની પકડ છે. આ વખતે વલસાડની બેઠકમાં ભાજપના કે સી પટેલે કોંગ્રેસના જીતુ ચૌધરીને 2,28,000 મતોથી હરાવ્યા છે. આ સીટ પર 52,000 સ્થાનિક મુસ્લિમો ઉપરાંત 40000 પરપ્રાંતિય મુસ્લિમો છતાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી હારી ગયા છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
