પાટણ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ શંખેશ્વર ખાતે યોજાશે
પાટણ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ શંખેશ્વર ખાતે યોજાશે
સમગ્ર દેશ 75માં સ્વાતંત્ર્ય પર્વને મનાવવા ઉત્સુક છે ત્યારે, પાટણમાં પણ જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહની સમગ્ર તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. 15મી ઓગસ્ટના રોજ આ વર્ષે તાલુકા મથક શંખેશ્વર મુકામે જિલ્લા કક્ષાનો ધ્વજ વંદન સમારોહ યોજવામાં આવ્યો છે. રાજયકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા શંખેશ્વર ખાતે ઉપસ્થિત રહી ધ્વજવંદન કરાવશે.

જિલ્લા વહિવટીતંત્ર દ્વારા 75માં સ્વાતંત્ર્ય પર્વ માટે જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 15 મી ઓગસ્ટના ધ્વજવંદન સમારોહ પહેલા જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના દ્વારા ધ્વજવંદન સમારોહ માટે થયેલી તૈયારીઓનું નિરીક્ષણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
15 મી ઓગસ્ટના મહાપર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન, હર્ષ ધ્વની, વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન, રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. પાટણ જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું.
રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યુ છે. ત્યારે, પાટણ જિલ્લામાં પણ સ્વાતંત્ર્ય પર્વના પૂર્વ સંધ્યાએ ભવ્ય તિરંગા રેલી યોજાઇ હતી. આ રેલીમાં શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.












Click it and Unblock the Notifications
