સુરતમાં વરાછા વિસ્તારની સોસાયટીઓમાં કાદવની નદી વહેતા લોકોને હાલાકી
સુરતના વરછા વિસ્તારમાં અનેક સોસાયટીમાં કાદવ કિચડ પથરાય ગયો હતો. જેના લીધે સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો
આપણે ચોમાસામાં ચારે તરફ કિચડ જોતા હોઇએ છીએ તે સામાન્ય બાબત છે. પરંતુ ભર શિયાળે કાદવની નદી વહેતી જોઇ છે. સુરતમાં એક સોસાયટીમાં કાદવની નદી વહેતી થઇ હતી. આ કાદવ ઘરોના બોરમાથી નીકળવા લાગ્યો હતો. જેના લીધે રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બનાવની જાણવા મળતી માહિતી અનુસાર સુરતમાં વરછા વિસ્તારમાં આવેલી વિઠ્ઠલનગર સોસાયટીની ગલી નંબર 4માં એક ઘરમાથી કાદવનો રગડો નીકળવાની શરુઆત થઇ ગઇ હતી. ઘર નંબર ડી 123 માં બપોરે 2 થી 4 વાગ્ય સુધીમાં કાદવ નીકળ્યો હતો. વિઠ્ઠલનગર વિસ્તારમા મેટ્રો માટે ટનલ બનવા બોઇગ મશીન દ્વારા કામગીરી ચાલી રહી છે. જમીનમાથી માટી કાઢતી વખતે ઘર્ષણ ટાળવવા માટે ફોમ્નો ઉપયોગ થાય છે. આ દરમિયાન પ્રેશર ખુબ વધારે હોય છે. જેથી ફઓર્મ મિશ્રીત માટે રગડો બની જાય છે. પ્રેશર ખુબ વધારે હોવાથી જેથી ફોર્મ મિશ્રીત માટી રગડો બની જાય છે. પ્રેશર ખુબ વધારે હોવથી માટે બહાર કાઢતી વખતે બંધ નહી કરાયેલા બોરમાથી સોસયાટીના ઘરોમાં પહોચી ગયો હતો. આસપાસની સોસાયટીમાં 150 વધારે બોર હતા. ઘરમાં રગડો આવતા અટકવવામાં ઇંટ બોર્ડ પાટિયા મુકવા પડ્યા હતા.












Click it and Unblock the Notifications
