સરકાર અને જનતા વચ્ચેના સંબંધસેતુને વધુ મજબૂત કરવાનું કાર્ય કરતો સ્વાગત કાર્યક્રમ
ગાંધીનગરની કલેકટર કચેરીએ આયોજિત જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના નાગરિકોએ પોતાનાં પ્રશ્નોના સમાધાન માટે ભાગ લીધો હતો. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો દ્વારા ઉઠાવેલા પ્રશ્નોનું સુખદ નિરાકરણ કરાયું હતું. છેલ્લા બે દાયકામાં, સ્વાગત કાર્યક્રમે સરકાર અને જનતા વચ્ચેના સંબંધસેતુને વધુ મજબૂત કરવાનું કાર્ય કર્યું છે. સ્વાગત કાર્યક્રમને કારણે હકારાત્મક ઉકેલ મેળવનાર અરજકર્તાઓના મુખે સ્વાગત કાર્યક્રમ અંગેનો અભિપ્રાય કંઇક આમ હતા.

ગાંધીનગરના કુડાસણની ગ્રીન પાર્ક કોમ. એન્ડ હાઉસીંગ કો. ઓપ. લિ સોસાયટીમાં રહેતા એમ. પી. મહેતાને તેમની સોસાયટીના રસ્તાની બાજુમાં બનાવેલા પગથિયાને પ્રશાસન દ્વારા તોડવા અંગે ફરિયાદ હતી. સદર રસ્તા પરના પગથિયાં ન તોડવા અને તેને યથાસ્થિતિ રાખવા બાબતે તેઓ તંત્રને રજૂઆત કરી હતી. બાદમાં તેઓ તેમના પ્રશ્નની રજૂઆત લઈને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવ્યા. એમ. પી. મહેતા જણાવે છે કે કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં કલેકટર અને સંબધિત અધિકારીઓએ એમની રજૂઆત સાંભળી હતી અને બાંઘકામ નિયમિત કરવા અંગેની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ગાંધીનગરના છાલા ગામના રહેવાસી હરિભાઇ કરશનભાઇ ચૌધરી જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ગામના એક જાગૃત નાગરિક તરીકે તેમના ગામમાં આવેલી હાથમતી નદી પરની કેનાલની અધૂરી કામગીરી પૂર્ણ કરવા માટે તેમજ છાલા ગામના તળાવને નર્મદાના પાણીથી ભરવા માટે રજૂઆત કરી હતી. કલેકટરે તેમના પ્રશ્નને ધ્યાનપૂર્વક સાંભળીને સદર કેનાલના કામને પૂર્ણ કરવાના પ્રશ્નના ઉકેલ માટે એક મહિનાનો સમય આપ્યો છે. કલેકટર દ્વારા બહુ જ વ્યવસ્થિત અને સરળતાથી વાત સાંભળવા બદલ હરિભાઇ ખુશ થતાં જણાવે છે કે સરકાર દ્વારા લાવવામાં આવેલો સ્વગત કાર્યક્રમ ખૂબ સારો છે.
ગાંધીનગરના કોટેશ્વર ગામના રહીશ ઉમેશભાઈ હરગોવનભાઈ પટેલ તેમની મિલકતના પ્રોપર્ટી કાર્ડના હક ચોકસાઇના પ્રશ્નની રજૂઆત માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. હરગોવનભાઈ જણાવે છે કે કલેકટર દ્વારા તેમના પ્રશ્નને શાંતિપૂર્વક સાંભળવામાં આવ્યો અને પ્રોપર્ટીકાર્ડના હક મળે તે માટે સંબધિત જિલ્લા લેન્ડ રેકર્ડ કચેરીને આદેશ કર્યો છે. સ્વાગત કાર્યક્રમથી તેમના પ્રશ્નના સુખદ નિરાકરણથી તેઓ સરકારનો આભાર માને છે.
ગાંધીનગરના રાયસણ ગામમાં રહેતા રૂપલબેન બારોટના પતિ કોરોનાકાળમાં અવસાન પામ્યા હતા. આ માટે રૂપલબેન દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમાનું વળતર મેળવવા માટે અરજી કરી હતી પણ વળતર મળ્યું ન હતું. તેઓ તેમનો પ્રશ્ન લઈને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આવ્યા. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કલેકટરશ્રીએ તેમના પ્રશ્નને સાંભળીને ૧૫ દિવસમાં વીમાનું વળતર મળી જશે તે માટેની બાહેંધરી આપી હતી. પ્રશ્નના સુખદ નિરાકરણથી ખુશ થઈને રૂપલબેન જણાવે છે કે સરકાર દ્વારા લાવવામાં આવેલા સ્વાગત કાર્યક્રમથી દરેકના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
