ગુજરાત ગૌરવ અભિયાનઃ વલસાડ જિલ્લાના લાભાર્થીઓને કરાવ્યો ઈ-ગૃહ પ્રવેશ
ગુજરાત ગૌરવ અભિયાનઃ વલસાડ જિલ્લાના લાભાર્થીઓને કરાવ્યો ઈ-ગૃહ પ્રવેશ
વડોદરા ખાતે યોજાયેલા 'ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ સાથે વલસાડ જિલ્લાના જિલ્લા કક્ષાના “ગુજરાત ગૌરવ અભિયાન” કાર્યક્રમમાં નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા તથા કલ્પસર અને મત્સ્યોદ્યોગના મંત્રી જીતુ ચૌધરીએ વલસાડ ખાતેના મોરારજી દેસાઈ ઓડિટોરીયમ હોલ ખાતે ૧૦૬.૭૨ કરોડના ખર્ચે નવા બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “ઘરવિહોણા તથા કાચા ઘર ધરાવતા પરિવારોને પાકું મકાન આપવાની પરિકલ્પના ૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાનો સરકાર ભરપૂર પ્રયત્ન કરી રહી છે. “આપણું ઘર ક્યારે?” એ જ પ્રશ્નનો આ યોજના હેઠળ અંત લાવવાનો સરકારે સંકલ્પ કર્યો છે.”

વલસાડ જિલ્લાના દરેક તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વર્ષ ૨૦૨૧-૨૨ સુધીમાં ૬,૫૫૭ આવસો બનાવવાનું લક્ષ્યાંક છે જેમાંથી ૫,૬૧૬ આવાસોનું બાંધકામ પૂર્ણ પણ થઈ ગયુ છે અને બાકીની કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થીને આવાસનું સ્થાનિક પદ્ધતિ મુજબ શૌચાલય ધરાવતું બાંધકામ કરવા માટે ત્રણ હપ્તામાં રૂ.૧.૭૨ લાખની સહાય તથા શહેરી લાભાર્થીઓને આવાસના નવા બાંધકામ અને હયાત બાંધકામમાં વૃદ્ધિ કરવા માટે છ હપ્તામાં રૂ.૩.૫ લાખની સબસીડી રૂપે સહાય સીધા બેંક ખાતામાં આપવામા આવે છે. શહેરી વિસ્તારોમાં સુવિધાયુક્ત અને પરવડી શકે એવા પાકા આવસો શકે તથા વિસ્તારો ઝૂપડપટ્ટી મુક્ત બને એવો હેતુ છે. બાંધકામ કરવા માટે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩૦ જેટલા કડિયાઓને તાલીમ પણ આપવામાં આવી છે.
-
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
