ગુજરાતમાં પીએમ મોદીએ ત્રીજી બટાટા સંમેલનને સંબોધિત કરી
ગુજરાતમાં પીએમ મોદીએ ત્રીજી બટાટા સંમેલનને સંબોધિત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં ગાંધીનગર ખાતે ત્રીજીવાર વિશ્વ બટાટા સંમેલનને રિમોટ વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરી રહ્યા છે. આ દરમ્યાન PMમોદીએ બટાકાને અનુલંક્ષી વ્યાપાર ઉદ્યોગ તેમજ વિવિધ રીતે ઉન્નતિ થાય તે માટે એક યોગ્ય દિશા પુરી પાડશે તેમજ દર 10 વર્ષેના અંતરે વિવિધ ઉપલબ્ધીઓને લઇ બટાટાને લગતા દરેક ક્ષેત્રમાં એક રોડમેપ તૈયાર કરવામાં આવશે. છેલ્લા બે દાયકાઓમાં 1999 અને 2008 દરમ્યાન 10 વિશ્વ બટાટા પરિષદોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ એગ્રીએક્સપો 28 થી 30 જાન્યુઆરી 2020 સુધી યોજવામાં આવશે. તે બટાટા આધારિત ઉદ્યોગો અને વેપારની સ્થિતિ, પ્રક્રિયા, બીજવાળા બટાટાનું ઉત્પાદન, બાયોટેકનોલોજી, તકનીકી સ્થાનાંતરણમાં જાહેર-ખાનગી ભાગીદારી અને ખેડૂત સંબંધિત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, પાછલા 2 દશકામાં ગુજરાત બટાટાના ઉત્પાદન અને નિકાસનું કેન્દ્ર બન્યું છે. પાછલા દશકામાં ભારતે બટાટાનું ઉત્પાદન 20 ટકા વધાર્યું, જ્યારે ગુજરાતમાં આ ઉત્પાદન 170 ટકા વધ્યું છે. વધુમાં આ સમેલ્લનમાં બટાટા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને લગતા અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે તેમજ ભવિષ્યમાં અમુક પરિસ્થિતિઓને આધિન શુ પગલા લેવા તેનું યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવશે. બટાટાને અનુલક્ષી વિવિધ દેશોના ભાગીદારોને બહાર લાવવાની અનોખી પહેલ છે. દેશમાં બટાટાના ઉત્પાદન માટે ગુજરાત મોખરે છે અને મોટા પાયે બટાટાની ઉપજ થાય છે.
ભારતમાં બટાટાના ખેતીલક્ષી વિસ્તારોમાં 19 ટકાનો વધારો થયો છે. છેલ્લા 11 વર્ષની વાત કરવામાં આવે તો લગભગ 170 ટન વિસ્તાર (2006-07માં 49.7 હજાર હેક્ટરથી વધીને 2017-18માં 133 હજાર હેક્ટર) 30 ટન હેક્ટરથી અધીક ઉત્પાદન સાથે ગુજરાતે ભારતમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. રાજ્યમાં આ ખેતી આધુનિક પદ્ધતિથી કરવામાં આવે છે જેમાં પાણીનો છંટકાવ અને ફુવારા પદ્ધતિનો સમાવેશ થાય છે.રાજ્યમાં બટાટા સંગ્રહ માટે મોટા પાયે કોલ્ડ સ્ટોરેજો આવેલા છે જ્યાં બટાટાને સારી સુવિધાઓથી સંગ્રહીત કરવામાં આવે છે. તેમજ બટાકાની પ્રક્રીયા માટે ગુજરાત એક ઉદ્યોગ કેન્દ્ર પણ બની ગયું છે. ઉપરાંત મોટાભાગના બટાટાનો નિકાસ ગુજરાત આધારિત છે અને દેશમાં આ એક એવું રાજ્ય છે કે જ્યાં દેશનું બટાટા કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. જેને ધ્યાનમાં રાખી ગુજરાતમાં ત્રીજી વિશ્વ બટાટા સંમ્મેલનનું આયોજન કર્યું છે.
મહત્વનું છે કે ભારતીય બટાટા એસોસિએશન (આઈપીએ) દ્વારા ભારતીય કૃષિ સંશોધન પરિષદ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટર પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને આંતરરાષ્ટ્રીય પોટેટો સેન્ટર (સીઆઈપી), લિમા, પેરુના સહયોગથી આ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે.
-
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ












Click it and Unblock the Notifications
