PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, એકતા દિવસ-જંગલ સફારી, જાણો આખો કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 30 ઓક્ટોબર અને 31 ઓક્ટોબરે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 30 ઓક્ટોબર અને 31 ઓક્ટોબરે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે. કોરોના કાળમાં પીએમ મોદીની આ પહેલી ગુજરાત યાત્રા છે. ગુરુવાર(29 ઓક્ટોબર) પીએમ મોદીએ ખુદ આ વિશે ટ્વિટ કરીને માહિતી આપી છે. પીએમ મોદી શુક્રવાર(30 ઓક્ટોબરે) અમદાવાદ પહોંચશે. પીએમ મોદી ગુજરાત પ્રવાસ દરમિયાન ઘણા કાર્યક્રમમાં શામેલ થશે. પીએમ નરેન્દ્ર મોદી સરદાર પટેલ ઝુઓલૉજિકલ પાર્ક જંગલ સફારીનુ ઉદઘાટન કરશે જે ભારતના લોખંડી પુરુષની 182 મીટર લાંબી પ્રતિમા પાસે સ્થિત છે. પીએમ મોદી સરદાર વલ્લભભાઈ પટેલને 31 ઓક્ટોબરે તેમની જયંતિના દિવસે સ્ટેચ્યુ ઑફ યુનિટી જઈને શ્રદ્ધાંજલિ પણ અર્પિત કરશે. જેને એકતા દિવસ તરીકે ભાજપ મનાવે છે.

જાણો પીએમ મોદીનો આખો કાર્યક્રમ
શુક્રવારની સવારે અમદાવાદ પહોંચ્યા બાદ પીએમ મોદી કેવડિયા અને અમદાવાદ વચ્ચે સમુદ્રી વિમાન સેવા સહિત ઘણી પરિયોજનાઓની શરૂઆત કરશે. પીએમ મોદી અમદાવાદથી આજે ગાંધીનગરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના પરિવારને મળવા પણ જઈ શકે છે. કેશુભાઈ પટેલનુ ગુરુવારે(29 ઓક્ટોબર) નિધન થઈ ગયુ છે. ત્યારબાદ પીએમ કેવડિયા માટે રવાના થશે. પીએમ મોદી પોતાના આ પ્રવાસ દરમિયાન બીજી પણ ઘણી પરિયોજનાઓનુ ઉદઘાટન કરશે. પીએમ મોદી રાતે જ પ્રવાસ કરશે. તેઓ સરદાદર પટેલ ઝુઓલૉજિકલ પાર્ક જંગલ સફારીનુ ઉદઘાટન કરશે. અધિકારીએ કહ્યુ કે સેવાના ઉદઘાટલન બાદ પીએમ મોદી ત્યાં બોટની સવારી કરી શકે છે.
સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસે પીએમ મોદી એકતા મૉલનુ ઉદઘાટન કરશે જ્યાં પર્યટકો આખા દેશમાંથી લાવવામાં આવેલી હસ્તકલાની વસ્તુઓ ખરીદી શકે છે. 31 ઓક્ટોબરની સવારે પીએમ મોદી સૌથી પહેલા સરદાર પટેલને તેમની જયંતિ પર પુષ્પાંજલિ અર્પિત કરવા માટે સ્ટેચ્યુ ઑફ યુનિટી જશે. આ પ્રસંગે કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ બળ(CAPF) અને ગુજરાત પોલિસ દ્વારા એકતા દિવસ પરેડ નામની એક પરેડનુ પણ આયોજન કરવામાં આવશે. અધિકારીએ જણાવ્યુ કે પ્રતિમા પાસે પરેડ ગ્રાઉન્ડમાં પીએમ મોદી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સિવિલ સર્વિસ પ્રોબેશનર્સ સાથે વાતચીત કરશે. બપોર બાદ પીએમ કેવડિયા અને અમદાવાદને જોડતી સી-પ્લેન સેવા શરૂ કરશે. ત્યારબાદ તે નવી દિલ્લી માટે રવાના થશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
