PM મોદી 25 ફેબ્રુઆરીએ દ્વારકાથી 3 જિલ્લાના 4253 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ઉદ્ધાટન કરશે

25 ફેબ્રુઆરીએ પીએમ મોદી દ્વારકા આવી રહ્યા છે. અહીંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર જિલ્લામાં 4253 કરોડની 11 વિકાસ યોજનાઓ લોકો માટે ખુલ્લી મુકશે.

પીએમ આ મુલાકાત દરમિયાન સુદર્શન સેતુ (ઓખા-બેટ દ્વારકા બ્રિજ) સમર્પિત કરશે. આ સાથે દ્વારકા જિલ્લામાં 5 કામોનું લોકાર્પણ થશે. 979 કરોડના ખર્ચે બનેલો ઓખા-બેટ દ્વારકા સુદર્શન બ્રિજ જે 2.3 કિમી લાંબો છે અને 2.45 કિમીનો એપ્રોચ રોડ અને પાર્કિંગ સુવિધા છે.

PM Modi

રેલ્વે વિભાગે રાજકોટ-ઓખા અને રાજકોટ-જેતલસર-સોમનાથ અને જેતલસર-વાંસજાળીયાની કુલ કુલ 533 રેલ્વે લાઈનો પર વીજળીકરણ પૂર્ણ કર્યું છે. આ 676 કરોડનો પ્રોજેક્ટ પીએમ મોદી સમર્પિત કરશે.

ઇલેક્ટ્રિફિકેશનથી ડીઝલની બચત થશે અને આ માર્ગો પર ઇલેક્ટ્રિક ટ્રેનો ચલાવવાનું શક્ય બનશે. રાજકોટ-ઓખા રેલ્વે લાઈનનું વિદ્યુતીકરણ પૂર્ણ થતાં ઓખા સુધી ઈલેક્ટ્રીક ટ્રેનો દોડી શકશે.

પીએમ. વાડીનાર ખાતે 1378 કરોડની ઓફશોર પાઈપલાઈનનું લોકાર્પણ કરશે. આ સિવાય જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર પાસે 12.5 મેગાવોટ ક્ષમતાના વેસ્ટ લેન્ડ સોલર પીવી પ્રોજેક્ટને સમર્પિત કરશે, જે 52 કરોડના ખર્ચે સ્થાપિત થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X