PM મોદી આજે અમદાવાદમાં ફૂટ ઓવર બ્રિજનુ કરશે ઉદ્ઘાટન, સાબરમતી રિવરફ્રંટની સુંદરતાને લાગશે ચાર ચાંદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાબરમતી રિવરફ્રન્ટ નજીક એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચેના ફૂટ-ઓવર બ્રિજનુ ઉદ્ઘાટન કરશે.

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાબરમતી રિવરફ્રન્ટ નજીક એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચેના ફૂટ-ઓવર બ્રિજનુ ઉદ્ઘાટન કરશે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની સાથે અમદાવાદના પ્રખ્યાત પર્યટન સ્થળ સાબરમતી રિવરફ્રન્ટે પણ એક દાયકો પૂર્ણ કર્યો છે. આ ફૂટ ઓવર બ્રિજના ઉદ્ઘાટન બાદ સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતામાં વધુ વધારો થશે.

river front

પ્રવાસીઓ અને મુલાકાતીઓના રસને ધ્યાનમાં રાખીને એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી વધુ એક આકર્ષણ ઉમેરાયુ છે. આ 300 મીટરનો પુલ સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ અને પશ્ચિમ બાજુઓને જોડે છે. આ ફૂટ ઓવર બ્રિજ પૂર્વ અને પશ્ચિમ બાજુઓ પર વિવિધ જાહેર વિકાસ માટે મલ્ટી-લેવલ કાર પાર્કિંગ અને કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે. બ્રિજની ડિઝાઇન ખૂબ જ અદ્વિતીય છે. આ ફૂટ ઓવર બ્રિજ ટેકનિકલ અને ડિઝાઇન બંને દૃષ્ટિકોણથી ઉત્તમ છે. તે નદીની સાથે શહેરની સ્થિતિમાં પણ વૃદ્ધિ કરશે. આ ઉપરાંત રવિવારે વડાપ્રધાન કચ્છના અંજાર શહેરમાં 'વીર બાલક સ્મારક'નુ ઉદ્ઘાટન કરશે.

26 જાન્યુઆરી 2001ના રોજ ભૂકંપના પરિણામે, ગુજરાતના કચ્છના અંજાર શહેરમાં એક રેલીમાં ભાગ લેતી વખતે 185 શાળાના બાળકો અને 20 શિક્ષકો નજીકની ઇમારતોના કાટમાળ નીચે દટાયા હતા. આ દૂર્ઘટના સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ બાળકોની યાદમાં સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. હવે આ સ્મારક અંજાર શહેરની બહાર બનીને તૈયાર છે અને વડાપ્રધાન તેનુ ઉદ્ઘાટન કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X