જામનગરમાં કૂટણખાનુ ચલાવતા પોલીસ પુત્ર અને મહિલાને પોલીસે ઝડપ્યા
જામનગરમાં છેલ્લા કેટલાય સમયથી છડેચોક ચાલતા હેદવ્યાપારના વ્યવસ્યાથી નાગરિકો તથા પોલીસ ત્રસ્ત થઈ ગયા છે.
જામનગરમાં છેલ્લા કેટલાય સમયથી છડેચોક ચાલતા હેદવ્યાપારના વ્યવસ્યાથી નાગરિકો તથા પોલીસ ત્રસ્ત થઈ ગયા છે અને ગોરખ ધંધા કરતા લોકો અંગે બાતમી મળતા પોલીસ અઠવાડિયામાં જ બે કૂટણખાના અને તેના સંચાલોકની ધરપકડ કરી છે. અને આશ્ચર્યનજક વાત એ છે કે બે પૈકી એક કૂટણખઆનું તો જામનગરના નિવૃત પોલીસનો દીકરો ચલાવતો હતો. જામનગરમાં નિવૃત્ત પોલીસ પુત્ર સંચાલિત કૂટણખાનું ઝડપ્યા બાદ સતત બીજા દિવસે પણ પોલીસે મહાજન મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપી મહિલા તથા બે શખસોની ધરપકડ કરી છે. આ સ્થળે મળી આવેલી બે યુવતીઓને સાક્ષી તરીકે જોડવામાં આવી છે.
જામનગરમાં રણજીતનગરમાં તા.27ના નિવૃત્ત પીઆઈના પુત્ર સંચાલિત કૂટણખાનું પોલીસે ઝડપી ત્રણ શખસોની ધરપકડ કરી તેઓને 4 દિવસ રિમાન્ડ ઉપર લીધા છે. દરમિયાન જનતા ફાટક પાસે હરિપ્રેમ એપાર્ટમેન્ટમાં રહેતી મનિષાબેન દિલીપભાઈ પ્રેમચંદભાઈ શાહ નામની મહાજન મહિલા પોતાના મકાનમાં કૂટણખાનું ચલાવે છે તેવી બાતમીના મળતા સીટી સીના પોલીસ ઈન્સ્પેકટર એમ.એમ.રાઠોડ, પી.એસ.આઈ. એ.એલ. મકરાણી તથા તેમના સ્ટાફે ગઈરાત્રે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન મકાનમાં કૂટણખાનું ચાલતું હોવાનું જણાતા પોલીસે સંચાલિકા મનિષાબેન શાહ તથા બે ગ્રાહકો એરફોર્સ-1માં કવાર્ટર્સ નં.449/5માં રહેતા ભગવાનજી કરશનભાઈ સોલંકી (ઉ.60) તથા વિભાપર ગામના રીયાઝ હસમુખભાઈ રૂપાપરા (ઉ.24)ની ધરપકડ કરી રૂા.11,500ની રોકડ રકમ તથા ત્રણ મોબાઈલ ફોન કબજે કર્યા હતાં. પોલીસે બે પરપ્રાંતિય યુવતીઓને સાક્ષી તરીકે રાખી છે.
પોલીસે જણાવ્યું હતું કે ઘણા સમયથી સ્થાનિકોની આ અંગેની ફરિયાદ હતી અને અનમે પણ દેહવ્યવસાય કરનારનું પગેરું શોધી રહ્યા હતા. આ તપાસ માટે અમે બાતમીદારોને પણ સૂચન કર્યું હતું .તેના આધારે અમને બાતમી મળતા જ અમે જનતા ફાટક વિસ્તાર પાસે આવેલા હરિપ્રેમ એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા મનિષાની ધરપકડ કરી હતી. અહીં કૂટણખાનું ચાલતું હોવાથી અહીંના રહેવાસીઓ પણ ત્રસ્ત થઈ ગયા હતા.
એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે અહીં આવા ગોરખ ધંધા ચાલતા હોવાને કારણે અમારું રહેવાનું પણ મુશ્કેલ થઈ ગયું હતું, કારણ કે એપાર્ટમેન્ટની બહાર અસામાજિક તત્વો અડ્ડો જમાવીને બેસતા હતા અને ઘરે આતા મહેમાનો ખાસ તો મહિલાઓ અને બહેનો દીકરીઓને ઘણી તકલીફ પડતી હતી.