139મી રથયાત્રા પહેલા પોલિસને મળ્યા તલવાર અને દંડા..
નોંધનીય છે કે કાલે અમદાવાદમાં 139મી રથયાત્રા નીકળવાની છે. અને આ માટે આખું શહેર યુદ્ધ છાવણીમાં ફેરવાઇ ગયું છે. ત્યારે અમદાવાદમાં રથ યાત્રા સંદર્ભે ચાલી રહેલા ચેકિંગમાં શાહપુર પોલીસે બે યુવકો જોડેથી 3 થી 4 તલવાર અને દંડા મળી આવ્યા હતા. તંત્ર દોડતું થયું હતું.
જો કે પોલિસ દ્વારા આ યુવાનોની સધન તપાસ કરતા નાગોરીવાડ પાસેથી ઝડપાયેલા આ યુવકોએ સ્થાનિક યુવક સાથે જૂની અદાવતના કારણે હથિયાર સાથે રાખતા હોવાનું સામે આવ્યું. નોંધનીય છે કે રથ યાત્રા હવે ગણતરીનાં કલાકો બાકી રહ્યાં છે. ત્યારે પોલીસે સુરક્ષા દ્વારા આવા હથિયારો પકડાતા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.
નોંધનીય છે કે પહેલા રથયાત્રા સમયે કોમી રમખાણોનો ભય રહેતો હતો. જો કે કેટલાક સમયથી ગુજરાતમાં શાંતિ છે પણ દર વર્ષની તંત્ર દ્વારા આ અંગે યોગ્ય તકેદારીના પગલાં લેવામાં આવે છે. ત્યારે આ વખતે પણ જગન્નાથ ભગવાનની આ રથયાત્રા શાંતિપૂર્ણ રીતે નીકળે તે માટે પોલિસ અને તંત્ર પ્રતિબદ્ધ છે.