Indian Railways: ડબલિંગ કાર્યને કારણે પોરબંદર–કાનાલુસ–પોરબંદર લોકલ ટ્રેનો 15 ઓક્ટોબર સુધી આંશિક રીતે રદ
Indian Railways: રેલવેમાં ડબલિંગ કાર્યને કારણે કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે, ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠી એ આ માહિતી આપી છે. રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લે, જેથી કોઈ અસુવિધા ન થાય.

Railway News: રાજકોટ ડિવિઝનના લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ચાલી રહેલા ડબલિંગ કાર્યને કારણે 15 ઓક્ટોબર, 2025 સુધી કાનાલુસ-પોરબંદર અને પોરબંદર-કાનાલુસ લોકલ ટ્રેનોનું સંચાલન આંશિક રીતે પ્રભાવિત રહેશે. વિગતો નીચે મુજબ છે:
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
- ટ્રેન નંબર 59206 પોરબંદર-કાનાલુસ લોકલ
આ ટ્રેન હવે 15 ઓક્ટોબર, 2025 સુધી પોરબંદરથી ઉપડીને માત્ર ગોપજામ સુધી જ દોડશે અને ગોપજામ-કાનાલુસ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 59205 કાનાલુસ-પોરબંદર લોકલ
આ ટ્રેન હવે 15 ઓક્ટોબર, 2025 સુધી કાનાલુસને બદલે ગોપજામ સ્ટેશનથી ઉપડશે અને કાનાલુસ-ગોપજામ સેક્શન વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
ભારતીય રેલવેએ ટિકિટ ચેકિંગ સ્ટાફ માટે બાયોમેટ્રિક સાઇન-ઓન સિસ્ટમ શરૂ કરી
આ જ પહેલ હેઠળ ભાવનગર રેલ મંડળે પણ પોતાના ટિકિટ ચેકિંગ સ્ટાફ (TTE) ની ડ્યુટી પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. મંડળના તમામ સાત (7) ટીટીઈ લોબીમાં આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન સિસ્ટમ સફળતાપૂર્વક અમલમાં મૂકી દેવામાં આવી છે. અગાઉ ટિકિટ ચેકિંગ સ્ટાફનું સાઇન-ઓન અને સાઇન-ઓફ કાર્ય યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા કરવામાં આવતું હતું. હવે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે આધાર આધારિત બાયોમેટ્રિક સિસ્ટમ અમલમાં મૂકી છે.












Click it and Unblock the Notifications
