રાજકોટમાં હિરાસરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. પીએમના બે દિવસના પ્રાસમાં તે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ગુરુવાર રાત્રી રોકાણ ગાધીનગર રાજભવન ખાતે કરશે. તેન લઇને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરી લેવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે ત્યાર બાદ રાજકોટમાં મહાનગરપાલિકાના વિકાસાના કામોને પણ પ્રજા માટે ખુલા મુકશે.
શુક્રવારે તે મહાત્મા મંદિર ખાતે સેમિકન્ડક્ટર સેક્ટરની આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ સેમિકોન ઇન્ડિયાનો પ્રારંભ કરાવશે. મોદીના આગમને પગલે મહાત્મા મંદિરમાં સલામતિના ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે. પ્રધાનમંત્રી ભાજપના ધારાભ્યો તેમજ મંત્રી સાથે ભોજન લઇને તેમની પાસેથી રિપોર્ટ કાર્ડ પણ માંગશે.












Click it and Unblock the Notifications
