ખારા પાણીને મીઠુ બનાવવાના પ્લાન્ટનો શિલાન્યાસ કરવા માટે કાલે ગુજરાત આવશે પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં હશે. જાણો કારણ.
કચ્છઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં હશે. મોદી અહીં કચ્છનો પ્રવાસ કરશે. જેમાં તે સફેદ રણ માટે પ્રખ્યાત ધોરડો પાસે ગુંદીયાળી ગામ પહોંચશે. અહીં મોદી ખારા પાણીને મીઠુ બનાવવાના ડિસેલિનેશન પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. ગુજરાત પોલિસ તેમજ અન્ય અધિકારીઓ તરફથી માહિતી આપવામાં આવી છે કે પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આખા માર્ગ તેમજ વિસ્તારમાં સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એસપીજી પણ તૈનાત છે.
પીએમ મોદીના આગમન તેમજ તેમની સુરક્ષા વ્યવસ્થામાં ગુજરાત પોલિસના ઉપરી અધિકારીઓ અને કર્મીઓ જોડાવાના છે. બધાની કોરોના તપાસ કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ધોરડો સ્થિત ટેન્ટ સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સભાને પણ સંબોધિત કરશે. સાથે જ વર્ચ્યુઅલ પ્રસ્તાવિત પરિયોજનાનો શિલાન્યસ પણ કરશે. એક અધિકારીએ જણાવ્યુ કે 15 ડિસેમ્બરે ગુજરાત પ્રવાસ પર આવી રહેલી પીએમ મોદી સાંજના સમયે સફેદ રણનો નઝારો પણ જોશે.
શિલાન્યાસ કાર્યક્રમ પૂરો થઈ ગયા બાદ પીએમ મોદી દિલ્લી માટે રવાના થશે. જો કે એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે પહેલી મોદી રાતે ધોરડોમાં ટેન્ટ સિટીમાં રોકાવાના હતા. જો કે પ્રધાનમંત્રીના આ પ્રવાસ માટે વિરોધીઓ સવાલ પણ ઉઠાવી રહ્યા છે. જેનુ કારણ છે આ પ્રવાસના કાર્યક્રમ સાથે લલ્લુજી એન્ડ સન્સનુ જોડાવુ. લલ્લુજી એન્ડ સન્સ પર ઉત્તર પ્રદેશમાં કુંભ મેળામાં ટેન્ટ લગાવવા બાબતે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે.
'મોદી વિરોધી' તાકાતો છે ખેડૂત આંદોલનનો હિસ્સોઃ કૃષિ મંત્રી