For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરના પુલવામાં ગુજરાતી જવાન થયો શહીદ

જમ્મુ કાશ્મીરના પુલવામાં બ્રિજેશકુમાર કુશવાહ નામવો જવાન શહીદ થયો છે. હાલ તેનો પરિવાર અમદાવાદમાં રહેતા હોવાના કારણે તેના પાર્થિવ દેહને વિશેષ પ્લેનમાં ગુજરાતમાં લાવવામાં આવ્યો છે. ત્યારે આ શહીદ જવાન વિષ

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

અમદાવાદના મેઘાણીનગર ભાર્ગવ રોડ પર રહેતા બ્રિજેશકુમાર કુશવાહનો 22 વર્ષીય પુત્ર પ્રદીપસિંહ ગઈકાલે જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકવાદીઓ સાથે થયેલી હિંસક અથડામણમાં ગોળી લાગતા શહીદ થયો છે. ત્યારે આજે તેના પાર્થિવ દેહને ગુજરાત લાવવામાં આવ્યો હતો. ત્યારે તેનો સમગ્ર પરિવાર તેમજ મેઘાણી નગરમાં શોક ફેલાઈ ગયો છે.પ્રદીપસિંહ ચાર વર્ષ પહેલાં આર્મીમાં જોડાયો હતો અને 40 દીવસ પહેલા જ તેનું પોસ્ટિંગ જમ્મુ માં થયું હતું. તેના પરિવારના સભ્યો એ જણાવ્યું કે કુશવાહ મૂળ મધ્ય પ્રદેશ ના રતલામના વતની છે અને તેના માતા ઉમાબેન અને પિતા બ્રિજેશ સિંહ હાલ અમદાવાદમાં રહે છે.

gujarati jawan

જ્યારે તેનો ભાઈ કુલદીપ પણ થોડા મહિના પહેલા આર્મી માં જોડાયો હતો. આજે સાંજે પ્રદીપસિંહ નો મૃતદેહ વિષેશ પ્લેન માં અમદાવાદ એરપોર્ટ પર આવ્યો હતો. જો કે તેના માતા પિતા હાલ રતલામ થી અમદાવાદ તરફ રસ્તા માં હોવાથી પ્રદીપસિંહ નો પાર્થિવ દેહ કેંટોનમેન્ટ ખાતે લઈ જવામાં આવ્યો છે. ત્યારે કાલે સવારે તેમનો ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

English summary
Pulwama encounter with terrorist, Ahmedabad's jawan martyr.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X