For Quick Alerts
For Daily Alerts
સુરતના વરાછામાં રાહુલ ગાંધી સંબોધશે જનસભા
શુક્રવારે સાંજે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વરાછા, સુરત ખાતે જનસભાનું સંબોધન કર્યું હતું.
ગુજરાત નવસર્જન યાત્રાના ત્રીજા દિવસે નવસારીના બી.આર.ફાર્મ ખાતે દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સાથે મુલાકાત કર્યા બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સુરત પહોંચ્યા હતા. સુરતના વરાછામાં રાહુલ ગાંધી જનસભા સંબોધનાર છે. શહેરમાં સવારથી આ સભાની તૈયારીઓ થઇ રહી હતી તથા સુરક્ષાને ધ્યાનમાં રાખતાં વિશાળ મંચના પાછળના ભાગથી રાહુલ ગાંધીના પ્રવેશની તૈયારી કરવામાં આવી હતી.
આ સુરત સભા પહેલાં શહેરમાં રાહુલ ગાંધીને સવાલ કરતાં વિવિધ પોસ્ટર્સ પણ લગાડવામાં આવ્યા હતા, આ પ્રશ્નોમાંથી કેટલાક પ્રશ્ને સરદાર પટેલને લગતા હતા. સરદાર પટેલને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કેમ ન બનાવવામાં આવ્યા? ઉપરાંત એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સરદાર પટેલને ભારત રત્ન આપવામાં 41 વર્ષની વાર શા માટે લગાડી? જેવા સવાલોવાળા પોસ્ટર્સ શહેરમાં જોવા મળ્યા હતા.
Comments
rahul gandhi gujarat congress navsarjan yatra gujarat election 2017 gujarat assembly elections 2017 રાહુલ ગાંધી surat ગુજરાત કોંગ્રેસ નવસર્જન યાત્રા ગુજરાત ચૂંટણી 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 સુરત
English summary
Congress VP Rahul Gandhi addressed a rally in Varachha, Surat on Friday evening.
Story first published: Friday, November 3, 2017, 19:45 [IST]