માનહાની કેસમાં હાજરી આપવા સુરત પહોંચ્યા રાહુલ ગાંધી
માનહાની કેસમાં હાજરી આપવા સુરત પહોંચ્યા રાહુલ ગાંધી
Recommended Video
સુરતઃ 2019 લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉપનામ મોદીને લઈ આપવામાં આવેલ વિવાદાસ્પદ નિવેદનને લઈ કરવામાં આવેલ માનહાનિ કેસમાં કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આજે સુરત કોર્ટમાં હાજરી આપી. રાહુલ ગાંધી આજે સવારે જ સુરત પહોંચી ગયા હતા. જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તમામ ચારેયના ઉપનામ મોદી કેમ છે?
જણાવી દઈએ કે જુલાઈમાં થયેલ સુનાવણી દરમિયાન અદાલતે ગાંધીને વ્યક્તિગત હાજરીથી છૂટ આપી દીધી હતી અને મામલાની આગામી સુનાવણી માટે 10 ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી. અગાઉ મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ બીએચ કપાડિયાએ મેમાં ગાંધીને સમન જાહેર કર્યું હતું. અદાલતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પુરનેશ મોદીની ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 અંતર્ગત ફરિયાદ સ્વીકારી લીધી હતી. આ કલમ અપરાધિક માનહાનિના મામલા સંબંધિત છે.
Haryana Elections 2019: રાહુલ ગાંધી 14 ઓક્ટોબરથી કોંગ્રેસના પ્રચારમાં ઉતરશે