સોમનાથમાં રાહુલે બિનહિંદુ તરીકે નોંધ કરાવતા ભાજપને ભાવતું મળ્યું
સોમનાથ મંદિરમાં રાહુલ ગાંધીએ બિન હિંદુ તરીકે નોંધણી કરાવતા ભાજપે સોશ્યલ મીડિયા પર આ અંગે કર્યો આક્ષેપ. જાણો આ અંગે વિગતવાર અહીં.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે સોમનાથ મંદિર ખાતે મહાદેવના દર્શન કર્યા હતા. અને તે પછી તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચાર અર્થે નવસર્જન યાત્રાની શરૂઆત કરી હતી. પણ સોમનાથ મંદિરમાં દર્શન કરવાની સાથે જ રાહુલ ગાંધી એક અલગ જ પ્રકારના વિવાદમાં સપડાઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિરના નિયમ મુજબ બિન હિંદુઓને મંદિરમાં દર્શન કરતા પહેલા રજીસ્ટર કરી સહી કરવી પડે છે. ત્યારે આવા જ મંદિરના રજિસ્ટમાં રાહુલ ગાંધી અને અહેમદ પટેલે બિન હિંદુ તરીકે રજીસ્ટર કરાવતા ભાજપે આ અંગે ટિપ્પણી કરવાની શરૂઆત કરી દીધી છે.
ભાજપ તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું છે આખરે રાહુલ ગાંધીએ સોમનાથ મહાદેવ સમક્ષ પોતાનો ધર્મ જાહેર કર્યો. (નિયમ મુજબ) બિન હિંદુઓ માટેના રજીસ્ટરમાં સહી કરી. હિંદુ ધર્મ પાળવો તો દૂર, જો તેમને હિંદુ ધર્મમાં આસ્થા પણ નથી તો મંદિરે-મંદિરે ફરીને લોકોને મૂર્ખ કેમ બનાવે છે?. જો કે પાછળથી તેણે આ ટ્વિટ હટાવ્યું હતું. પણ ભાજપના અમિત માલવિયાએ તેમના ટ્વિટમાં આમ કહીને કોંગ્રેસ અને રાહુલને સવાલો કર્યા હતા.
Ambassador Meera Shankar, UPA’s representative in US, had referred to Sonia Gandhi as a Christian leader. The reference was soon deleted. Now Rahul Gandhi declares he is a non-Hindu but their election affidavits claim that they are Hindus. Gandhis lying about their faith? pic.twitter.com/iFE4AhVnRM
— Amit Malviya (@malviyamit) November 29, 2017
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, ગુજરાત ચૂંટણી વખતે જ્યાં મંદિરે મંદિરે ફરીને તેમની સોફ્ટ હિંદુત્વની ઇમેજ ઊભી કરી છે. ત્યાં જ ભાજપને આ વાતથી વિરોધ છે. માટે જ ભાજપ રાહુલ ગાંધી પર મંદિરની રાજનીતિ રમવાનો આરોપ મૂકી રહી છે. તેવામાં રાહુલ ગાંધી દ્વારા સોમનાથ મંદિરના રજિસ્ટરમાં બિન હિંદુ તરીકે નોંધણી કરતા ભાજપને ભાવતું મળ્યું છે. ભાજપ દ્વારા આ અંગે સવારથી જ જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.