Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાયબરેલી પહોંચ્યા રાહુલ ગાંધી, પીડિતો સાથે કરી વાતચીત

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પહોંચ્યા રાયબરેલી, જ્યાં તે અને પ્રિયંકા ગાંધી મળશે એનટીપીસી બ્લાસ્ટના ઇજાગ્રસ્તો અને મૃતકોના પરિવારને. વધુ જાણો અહીં.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી રાયબરેલી પહોંચી ગયા છે. અહીં તેમણે એનટીપીસીમાં થયેલા હુમલા મામલે દુખ વ્યક્ત કર્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ચલતી નવસર્જન યાત્રાને વચ્ચે પડતી મૂકી રાયબરેલીના એનટીપીસી બ્લાસ્ટના સમાચાર મળતા તે સુરતથી રાયબરેલી જવા નીકળ્યા હતા. રાયબરેલીમાં તેમની સાથે પ્રિયંકા ગાંધી પણ જોડાયા હતા. તમને જણાવી દઇએ કે એનટીપીસી પ્લાન્ટમાં 25 લોકોની મોત થઇ છે 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. સોનિયા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ દુર્ધટના અંગે શોક વ્યક્ત કર્યો છે.

Rahul Gandhi

વધુમાં સોનિયા ગાંધીએ જણાવ્યું છે કે તે લોકોને મળવા ઇચ્છે છે પણ તેમનું સ્વાસ્થય ઠીક ના હોવાના કારણે તે મળવા નહીં આવી શકે. આ માટે જ રાહુલ ગાંધી ગુજરાતની પોતાની યાત્રાને છોડી રાયબરેલી પહોંચી ગયા છે. વધુમાં 3જી તારીખે રાહુલ પાછા ગુજરાત આવી આ નવસર્જન યાત્રાને આગળ વધારશે. આજે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બન્ને રાયબરેલીમાં મૃતક લોકોના પરિવાર અને ઇજાગ્રસ્તની મુલાકાત લેશે. નોંધનીય છે કે રાયબરેલી સોનિયા ગાંધીનો લોકસભાનો મતવિસ્તાર છે. અને સમગ્ર ગાંધી પરિવાર આ વિસ્તારથી જોડાયેલું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X