આટકોટમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો
રાજકોટમાં અપરાઘીને પકડવા ગયેલી પોલીસ પર લોકોના ટોળાએ કર્યો હુમલો. પોલીસ પણ સામે કરી ફાયરિંગ. જાણો આ ઘટના અંગે વિગતવાર અહીં.
રાજકોટ નજીક આટકોટ પાસે આરોપીને ઝડપી પાડવા ગયેલી પોલીસ પર હુમલો થયો છે. જો કે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતા એક વ્યક્તિ ઘવાયો છે. કલમ 307 એટલે કે હત્યાના પ્રયાસના આરોપીને ઝડપી પાડવા પોલીસ પહોંચી હતી. તે સમયે 30થી વધુ લોકો લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. અને એક શખ્સ ધારીયું લઈને PSI સામે દોડી આવ્યો હતો અને તેના ઉપર હુમલો કરતા PSI ઘવાયા હતા, ત્યારબાદ PSI એ હુમલો કરનારના પગમાં ફાયરિંગ કરી તેને અટકાવ્યો હતો. ઘાયલ પોલીસકર્મી અને પોલીસ ફાયરિંગનો ભોગ બનનાર વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટના સંદર્ભે પી.એસ.આઇ. વાય. બી. રાણાની ફરિયાદ પરથી વિજય દેવીપૂજક સહિતના ટોળા સામે રાયોટ, હત્યાની કોશિષ, ફરજમાં રૂકાવટ સહિતનો કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સમગ્ર ઘટના એવી હતી કે આટકોટ પોલીસ મથકના પીએસઆઇ રજા પર હોઇ તેની જગ્યાએ ચાર્જમાં રહેલા પ્રોબેશનલ પી.એસ.આઇ. યશપાલસિંહ ભરતસિંહ રાણા (ઉ.૨૫)ને રાત્રે માહિતી મળી હતી કે ગોંડલ નજીકના મોટા દડવામાં બનેવીની હત્યાનો પ્રયાસ કરી ભાગેલા તેના સાળા પલુ સહિતના બે શખ્સો આટકોટના નવાગામ ડેમ વિસ્તારમાં રહેતાં તેના સગાને ત્યાં છુપાયા છે.

આ માહિતીને આધારે પી.એસ.આઇ. રાણા સહિત આઠેક કર્મચારીઓનો કાફલો રાત્રે દોઢેક વાગ્યે આટકોટ નવાગામ ડેમ પાસે પહોંચ્યો હતો અને ત્યાંથી પલુ વશરામ દેવીપૂજક સહિત બે શખ્સને સકંજામાં લીધા હતાં. દરમિયાન આ બંનેને પોલીસના સકંજામાંથી એકલા છોડાવવાના ઇરાદે દેવીપૂજકોનું ટોળુ ભેગુ થઇ ગયું હતું. પી.એસ.આઇ. રાણા અને સ્ટાફે તમામને ચેતી જવા અને દૂર હટી જવા જણાવ્યું હતું. પરંતુ એક બે ત્રણ શખ્સ ધારીયા લઇને ધસી આવ્યા હતાં. આથી પી.એસ.આઇ. રાણાએ તેને ચેતવવા પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી બે રાઉન્ડ હવામાં ફાયર કર્યાં હતાં. ઘાયલ પોલીસકર્મી અને પોલીસ ફાયરિંગનો ભોગ બનનાર વ્યક્તિને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
