Railway News: લાભપાંચમના દિવસે જ મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન રદ, મુસાફરોને મુશ્કેલી સર્જાવાની શક્યતા

Railway News: તહેવારોના દિવસોમાં જ્યારે મુસાફરોની અવરજવર ચરમસીમાએ હોય છે, ત્યારે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા એક મહત્ત્વની લોકલ ટ્રેન રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. લાભપાંચમ એટલે કે 26 ઓક્ટોબર, ગુરુવાર ના રોજ મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રદ રહેશે.

Railway News

રેલવે ડિવિઝન દ્વારા આ ટ્રેનને ટેકનિકલ કારણોસર રદ જાહેર કરવામાં આવી છે. તહેવારો પૂરા થયા બાદ લોકો પોતાના કાર્યસ્થળે પાછા ફરતા હોય છે, ત્યારે આ મુખ્ય લાઇન પર ટ્રેન રદ થવાથી અનેક દૈનિક મુસાફરો અને કામકાજ અર્થે અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ડેમુ ટ્રેન કેમ રદ કરાઈ?

રાજકોટ રેલવે ડિવિઝને જણાવ્યું છે કે, મોરબી અને વાંકાનેર વચ્ચે રોજની લગભગ 12 જેટલી ટ્રેનો દોડે છે. જોકે, 26 ઓક્ટોબરના રોજ મુસાફરો માટે મહત્ત્વની એવી આ ડેમુ ટ્રેન ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે.

દિવાળીના તહેવાર બાદ ટ્રેનોમાં પહેલેથી જ ભીડ રહે છે, તેવામાં લોકલ ટ્રેન રદ થવાથી મુસાફરોએ હવે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે અન્ય વાહનવ્યવહારના વિકલ્પો શોધવા પડશે.

અમદાવાદ જંકશનથી દોડતી ટ્રેનો પણ રદ

બીજી તરફ, પશ્ચિમ રેલવે દ્વારા 24 ઓક્ટોબર ના રોજ અમદાવાદ જંકશનથી દોડતી કેટલીક પેસેન્જર ટ્રેનો પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનો કોઈ ચોક્કસ કામગીરીને કારણે એક દિવસ માટે રદ કરવામાં આવી છે.

રેલવે વિભાગે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી શરૂ કરતા પહેલા ટ્રેનના સમયપત્રક, સ્ટોપ અને અન્ય વિગતો માટે ઓનલાઈન ઈન્ક્વાયરી કરીને મુસાફરીનું આયોજન કરે, જેથી છેલ્લી ઘડીની હાલાકી ટાળી શકાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X