અમદાવાદઃ પુણે હિંસાનો વિરોધ, CM ફડણવીસને ખસેડવાની માંગ

ભીમા-કોરેગાંવ હિંસાના વિરોધમાં અમદાવાદમાં રેલી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ આ અંગે વધુ વાંચો અહીં...

1 જાન્યુઆરીના રોજ ભીમા-કોરેગાંવમાં ભડકેલ હિંસાના મામલે ગત અઠવાડિયે સુરતમાં દલિતો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. તો હવે રવિવારે અમદાવાદમાં પણ દલિત નેતાઓએ રેલી કાઢી આ ઘટનાને વખોડી કાઢી હતી. બેનરો લઇને રસ્તા પર ઉતરી આવેલ લોકોએ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ખસેડી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગણી પણ કરી હતી. જીવરાજ પાર્કથી કાઢવામાં આવેલ આ રેલીમાં લોકોના હાથમાં શું દલિત માણસ નથી, જતિવાદ તોડો દેશ જોડો જેવા લખાણોવાળા બેનરો જોવા મળ્યા હતા.

pune violence

પ્રતિકાત્મક તસવીર

સાથે જ તેમણે આ મામલે દોષીઓને કડક સજા કરવાની પણ માંગ કરી હતી. તેમનું કહેવું હતું કે, આ કાર્યક્રમમાં વ્યવસ્થા જાળવવામાં મહારાષ્ટ્ર સરકાર નિષ્ફળ ગઇ છે. સુરતમાં પણ આ જ પ્રકારની માંગણી સાથે દલિત નેતાઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને ઉધના વિસ્તારમાં ચક્કાજામ પણ થયો હતો. આ ઉપરાંત, વાપી, જૂનાગઢ, જામનગર જેવા શહેરોમાં પણ આ વિરોધની જ્વાળા જોવા મળી હતી. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ સુધી મૌન ધારણ કરી રાખ્યું છે. આ અંગે પણ અનેક સવાલો થઇ રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X