જાણો તમારા ઉમેદવારને: દસાડાથી ભાજપના રમણલાલ વોરા
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં દસાડાની સીટ પરથી ભાજપના રમણલાલ વોરાને ટિકિટ આપવામાં આવી છે. રમણલાલ વોરા વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 20 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં દસાડા વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે રમણલાલ વોરાની પસંદગી કરવામાં આવી છે. તો રમણલાલ વોરા વિષે થોડુ જાણીએ. રમણલાલનો જન્મ 26 સપ્ટેમ્બર, 1952ની રોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ગોવિંદપુરામાં થયો હતો. રમણલાલના પિતાનું નામ ઇશ્વરલાલ વોરા છે અને તેઓએ આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો.

રમણલાલ વોરા અને તેમની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો તેઓ ઇડર વિધાનસભા પરથી પાંચ વખત ધારાસભ્ય બન્યા છે. તેમણે સૌ પ્રથમ 1995માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. એ બાદ તેમની સેવા અને લોકપ્રિયતાના કારણે સતત વિજેતા થતા રહ્યા હતા. આ ઉપરાંત તેઓ વર્ષ 2016માં ગુજરાત વિધાનસભાની સ્પીકર તરીકે પણ સેવા આપી ચુક્યા છે. myneta. in પરથી મળતી માહિતી અનુસાર રમણલાલ વોરાએ બી.એ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ કુસમાબેન છે. તેમને બે પુત્ર અને બે પુત્રી છે. 2012ની ચૂંટણીમાં તેમણે પોતાના વ્યવસાય વિશે જણાવ્યુ હતુ કે, તેઓ રિટાયર્ડ બેંક કર્મચારી અને સામાજિક કાર્યકર છે. તેમની સંપત્તિ વિશે વાત કરવામાં આવે તો તે લગભગ એક કરોડ જેટલી છે. તેમના પર કોઈ પણ ગુનાહિત કેસ નથી નોંધાયો.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
