'રાણા મોદીને મારવા નહી, શહેરમાં બ્લાસ્ટ કરવા આવ્યો હતો'
અમદાવાદ, 13 જુલાઇ: પાકિસ્તાનના સરગોદાના રહેવાસી અમજદ અલી રાણાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે નહી પરંતુ શહેરમાં જાહેર સ્થળોએ હુમલા કરવા માટે આવ્યો હતો. આ જાણકારી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ સીબીઆઇને આપી છે. રાણા 2004માં ઇશરત જહાં તથા અન્ય બેની સાથે બનાવટી એન્કાઉન્ટરમાં મોતને ભેટ્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર ભરત પટેલે સીબીઆઇને સાક્ષીમાં જણાવ્યું હતું, અમજદ અલી રાણાનો ઉદ્દેશ્ય મુખ્યમંત્રીની હત્યા કરવાનો નહી પરંતુ શહેરના કેટલાક જાહેર સ્થળો પર વિસ્ફોટ કરવા માંગતો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય. નિવેદનમાં જણાવ્યું હતું કે એપ્રિલ 2004ના છેલ્લા અઠવાડિયા (સસ્પેંડેડ આઇપીએસ અધિકારી) જી. એલ. સિંઘલે મને જણાવ્યું હતું કે અમદાવાદ રેલવે સ્ટેશન પર નજર રાખે કારણ કે લશ્કર-એ-તૈયબાના કેટલાક સભ્યો આવી રહ્યાં છે. તરૂણ બારોટ અને આર એ પટેલ પણ ત્યાં હાજર હતા.

તેમાં જણાવવામાં આવ્યું હતું કે મેં અને સિંઘલે (રાણા)ને જોઇ કે દ્વિચક્રી વાહનથી અશદ (સિંઘલના સૂત્ર) સાથે જઇ રહ્યો હતો. અશદનો પરિચય રાજેન્દ્ર કુમાર (આઇબીના વરિષ્ઠ અધિકારી સાથે ડી જી વણઝારા (આઇપીએસ અધિકારી)એ કરાવ્યો હતો.












Click it and Unblock the Notifications
