Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'રાણા મોદીને મારવા નહી, શહેરમાં બ્લાસ્ટ કરવા આવ્યો હતો'

અમદાવાદ, 13 જુલાઇ: પાકિસ્તાનના સરગોદાના રહેવાસી અમજદ અલી રાણાએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા માટે નહી પરંતુ શહેરમાં જાહેર સ્થળોએ હુમલા કરવા માટે આવ્યો હતો. આ જાણકારી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ સીબીઆઇને આપી છે. રાણા 2004માં ઇશરત જહાં તથા અન્ય બેની સાથે બનાવટી એન્કાઉન્ટરમાં મોતને ભેટ્યો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર ભરત પટેલે સીબીઆઇને સાક્ષીમાં જણાવ્યું હતું, અમજદ અલી રાણાનો ઉદ્દેશ્ય મુખ્યમંત્રીની હત્યા કરવાનો નહી પરંતુ શહેરના કેટલાક જાહેર સ્થળો પર વિસ્ફોટ કરવા માંગતો હતો જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય. નિવેદનમાં જણાવ્યું હતું કે એપ્રિલ 2004ના છેલ્લા અઠવાડિયા (સસ્પેંડેડ આઇપીએસ અધિકારી) જી. એલ. સિંઘલે મને જણાવ્યું હતું કે અમદાવાદ રેલવે સ્ટેશન પર નજર રાખે કારણ કે લશ્કર-એ-તૈયબાના કેટલાક સભ્યો આવી રહ્યાં છે. તરૂણ બારોટ અને આર એ પટેલ પણ ત્યાં હાજર હતા.

narendra-modi

તેમાં જણાવવામાં આવ્યું હતું કે મેં અને સિંઘલે (રાણા)ને જોઇ કે દ્વિચક્રી વાહનથી અશદ (સિંઘલના સૂત્ર) સાથે જઇ રહ્યો હતો. અશદનો પરિચય રાજેન્દ્ર કુમાર (આઇબીના વરિષ્ઠ અધિકારી સાથે ડી જી વણઝારા (આઇપીએસ અધિકારી)એ કરાવ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X