Gujarat Cabinet Expansion : કેટલી સંપતિના માલિક છે રિવાબા જાડેજા?
Gujarat Cabinet Expansion : ગુજરાતમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે, જ્યાં સોળ મંત્રીઓના રાજીનામા બાદ નવા મંત્રીઓએ શપથ લીધા છે.
આ વિસ્તરણમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય અને ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમની રાજકીય કારકિર્દીની આ એક મોટી સિદ્ધિ છે.

જો કે, મંત્રી પદ મળ્યા બાદ જ લોકોમાં તેમની વ્યક્તિગત અને કૌટુંબિક સંપત્તિઓ વિશે જાણવાની ઉત્સુકતા વધી છે. રીવાબા જાડેજા માત્ર રાજકારણી જ નહીં, પણ કૌટુંબિક વ્યવસાયમાં પણ સક્રિય છે.
ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરાયેલા સોગંદનામા મુજબ, રીવાબા જાડેજા કૌટુંબિક વ્યવસાયમાં સક્રિય છે અને જામનગરના જાણીતા રેસ્ટોરન્ટ જડ્ડુ'સ ફૂડ ફિલ્ડ્સમાં તેઓ 50% હિસ્સો ધરાવે છે.
આ વ્યવસાય ઉપરાંત, તેઓ જંગમ (Movable) અને સ્થાવર (Immovable) બંને પ્રકારની કૌટુંબિક મિલકતોમાંથી નિયમિત આવક મેળવે છે, જે તેમની વ્યક્તિગત આવકમાં વધારો કરે છે.
તેમની જ્વેલરીની વિગતો જોઈએ તો 2022ની ચૂંટણી દરમિયાન જાહેર કરાયેલી માહિતી મુજબ, તેમની પાસે આશરે 34.80 લાખના સોનાના દાગીના, 14.80 લાખના હીરા અને લગભગ 8 લાખના ચાંદીના દાગીના છે. આમ, તેમની કુલ જ્વેલરીની અંદાજિત કિંમત 57.60 લાખ થાય છે, જે તેમની સંપત્તિનો એક ભાગ છે.












Click it and Unblock the Notifications
