ધર્મેન્દ્રસિંહની નારાજગી દૂર કરીને જામનગરની બેઠક જીતાડવાની જવાબદારી સોપાઇ
ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગરમાં નારાજ ધર્મેન્દ્રસિંહ જાડેજાને મનાવી લીધા હોવાનુ સામે આવ્યુ છે. જામનગરની બેઠકો જીતાડવાની જવાબદારી તેમને સોપવામાં આવી છે. ભાજપ દ્વારા જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણ અને જામનગર ગ્રામ્ય વિ
ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગરમાં નારાજ ધર્મેન્દ્રસિંહ જાડેજાને મનાવી લીધા હોવાનુ સામે આવ્યુ છે. જામનગરની બેઠકો જીતાડવાની જવાબદારી તેમને સોપવામાં આવી છે. ભાજપ દ્વારા જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણ અને જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠખના ઇન્ચાર્જ તરીકે ધર્મેન્દ્રસિં જાડેજા ઉર્પે હકુભાની નિમણૂંક કવરામાં આવી છે.
જામનગર ઉત્તરમાં કિક્રેટર રવિંદ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપવામા આવતા ધર્મેન્દ્રસિંહ જાડેજા નારાજ હતા. પોતાના સોશિયલ મીડિયાના વોર પરથી ભાજપના ખેસા સાથેના ફોટા પર દૂર કરી દીધા હતા. ત્યાર બાદ સમાધાન થતા તેમણે ભાજપના કેસરી ખેસ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતે.
જામનગર ના મારા તમામ મિત્રો ને મારુ દીલ થી આમંત્રણ છે. જય માતાજી🙏🏻 pic.twitter.com/olZxvYVr3t
— Ravindrasinh jadeja (@imjadeja) November 13, 2022
આ ઉપરાત ધર્મેન્દ્રસિંહ જાડેજા પર 2007 થયેલ ક્રિમિલ કેસમા ગુજરાત હાઇકોર્ટ દ્વારા કોઇ રાહત ના મળતા તેમની ચૂંટમી લડવા સામે સવાલો ઉભા થયા હતા. આવા સંજોગોમાં ભાજપ ટિકિટ આપીને એક બેઠકને મુશ્કેલીમા મુકવા માંગતા ન હતો જેથી કરીને તેમને મનાવીને જામનગરની બેઠકોની ઇન્ચાર્જ બનાવીને તેની જવાબદારી શોપવામાં આવી છે.
બીજી તરફ રવિન્દ્ર જાડેજાની બહેન નયનાબાએ રીવાબાને ટિકિટ આપવા પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે, ધર્મેન્દ્રસિંહ જીતના દાવેદાર હતા. કોગ્રેસ અને ભાજપમાંથી જામનગર ઉત્તરમાથી જીતતા આવ્યા છે. જેથી તેમની સાથે અન્યાય થયો છે.
રવિન્દ્ર જાડેજાએ પોતાની પત્ની રીવાબા જાડેજા માટે વિડિયો બનાવીને પોતાની પત્નીને મત આપવા માટે અપિલ કરી હતી. તેમજ આજે પોતાની ઉમેદવારી નોધવા જઇ રહ્યા છે તેમા મોટી સંખ્યામાં આવવા માટે પણ જામનગરની જનતાને કહ્યુ હતુ.