ભાજપને ગુજરાતમાં ભ્રષ્ટાચાર દેખાતો નથી: રાહુલ ગાંધી
બારડોલી, 8 ફેબ્રુઆરી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના ગઢમાં આયોજીત રેલીમાં કહ્યું હતું કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર દેખાતો નથી, અહીં જેલની હવા ખાનાર મંત્રી છે. સૂરતના બારડોલીમાં આયોજીત રેલીમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના કહ્યું હતું કે અહીંના નેતા સરદાર પટેલ વિશે વાતો કરે છે, કહે છે કે તે તેમની મૂર્તિ બનાવશે, પરંતુ ઇતિહાસ વાંચતા નથી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે ગરીબી ખતમ કરવાની વાતો કરીએ છીએ, પરંતુ આ લોકો ગરીબને હટાવવાની વાતો કરે છે. તેમને કહ્યું હતું કે ગુજરાતમાં સ્કુલો બંધ થઇ રહી છે, પરંતુ તેના વિશે એક શબ્દપણ કહેવામાં આવતો નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આરએસએસની વિચારધારાને ગાંધીએ મારી, આરએસએસની વિચારધારા ઝેરી વિચારધારા છે. તેમને કહ્યું હતું કે અમે લોકોને તાકાત આપવા માટે લોકપાલ અને આરટીઆઇ જેવા કાયદા બનાવ્યા, પરંતુ ગુજરાતમાં એક આદમીને શક્તિ આપવામાં વિશ્વાસ કરવામાં આવે છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગુજરાતમાં ગરીબો, નબળાઓની સરકાર નથી, અહીં ફક્ત અમીરોનું ચાલે છે. ગુજરાતમાં 55 હજાર નાના વ્યવસાય બંધ થઇ ગયા. તેમને કહ્યું હતું કે સામાન્ય પ્રજાને શક્તિ આપવી જોઇએ. અમારું રાજકારણ તમારું રાજકારણ છે, અમારી લડાઇ તમારી લડાઇ છે.

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પ્રહાર કરતાં કહ્યું હતું કે અમે આરએસએસમાં અમારો સમય વિતાવ્યો નથી. કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે, પરંતુ કોંગ્રેસ એક પાર્ટી નથીએ વિચારધારા છે.
રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલની મૂર્તિ બનાવવાની હવા નિકાળતાં કહ્યું હતું કે અમે વાતો કરતાં નથી, અમારા દિલમાં વસે છે સરદાર પટેલ અને ગાંધીની અને તેમની વિચારધારા અમારા મગજમાં છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમે બધાની ઇજ્જત કરીએ છીએ ચાવાળાની અને દરેક ધંધાના લોકોની પણ તેમની ઇજ્જત નથી કરતાં જે મૂર્ખ બનાવે છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગાંધીજીને મારવા પાછળ આરએસએસની વિચારધારા હતી. તેમણે કહ્યું હતું કે ગાંધીજીના મોત બાદ સરદાર પટેલ આરએસએસ પર બેન લગાવવા માંગતા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ ગરીબો માટે કામ કરે છે અને અમે 14 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢ્યા. ગુજરાતનો વિકાસ અહીંની પ્રજાના પરસેવાથી થયો છે, કોઇ એક વ્યક્તિના કામથી નહી.
ભાજપ આખા દેશમાં જાય છે અને ભ્રષ્ટાચારની વાતો કરે છે. તેમને ગુજરાતમાં ભ્રષ્ટાચાર દેખાતો નથી. કોંગ્રેસે આરટીઆઇનો કાયદો આપ્યો, આખા દેશમાં લાગૂ થયો. 10 કમિશ્નર હોવા જોઇએ, અને કેટલા છે. લોકપાલ બિલ કોણે પાસ કરાવ્યું, કોંગ્રેસે પાસ કરાવ્યું. અહી લોકાયુક્ત છે, તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. 40 કરોડ રૂપિયા સરકારે બરબાદ કર્યા.
ખેડૂતો કરી રહ્યાં છે આત્મહત્યા
ખેડૂતોની વાત કરીએ તો કરોડો રૂપિયાનું દેવું કોંગ્રેસે માફ કર્યું. અહીં શું થાય છે, 6000 ખેડૂતોએ આત્મહત્યા કરી. ખેડૂતો આવીને કહે છે કે અમને ગુજરાતમાંથી કાઢવામાં આવે છે. 70 કરોડ રૂપિયાનું દેવું અમે માફ કર્યું, અહીં 170 હજાર કરોડનું દેવું ખેડૂતોના માથે છે.
ગુજરાત કેવી રીતે ચમકી રહ્યું છે, અમીરોની સરકાર ચાલે છે, જહાજ ઉડી રહ્યાં છે, ખેડૂતો મરી રહ્યાં છે, ગરીબ ભૂખ્યો છે. આ લોકો 11 રૂપિયાની ગરીબી રેખા નક્કી કરે છે. શિક્ષણ વાત હોય છે તો અહીંયા 13 હજાર સરકારી સ્કુલો ગુજરાતમાં બંધ થઇ. અહીંની સ્કૂલ બંધ થઇ કોઇએ એક શબ્દ ન કહ્યો.
અમે તમેને આરટીઆઇ, મનરેગા, ભોજનનો અધિકાર આપ્યો. અમારી વિચારસણી છે કે જ્યાં સુધી તમે શક્તિ પ્રાપ્ત કરશો નહી ત્યાં સુધી દેશ આગળ વધશે નહી. અહીં એક આદમીને શક્તિ આપવામાં આવે છે. વિધાનસભા દસ પંદર દિવસ ચાલે અને બંધ થઇ જાય છે. અહીં ચૂંટાયેલા લોકો સરકાર ચલાવે છે. ખેડૂતોની લડાઇ અમારી લડાઇ છે. ગુજરાતમાં ગરીબોની સરકાર નથી, નબળા લોકોની સરકાર નથી, તમારો અવાજ અહીંયા કોઇને સંભળાતો નથી.
ગુજરાતમાં જો વિકાસ છે, પ્રગતિ છે, તો ગુજરાતની પ્રજાના પરસેવાથી પ્રગતિ થઇ છે. અહીં એક વ્યક્તિએ વિકાસ કર્યો નથી. ગુજરાતની જનતાએ કામ કર્યું છે અને તે બધી ક્રેડિટ લઇ જાય છે. અહીં ગરીબોની સરકારની જરૂરિયાત છે, આમ આદમીની સરકારની જરૂરિયાત છે.
મેં ઘણીવાર સાંભળ્યું છે કે જે ચા બનાવે છે તો ખાસ હોય છે. આખું ભારત ચા બનાવનાર ઇજ્જત કરે છે, ખેડૂતોની ઇજ્જત કરે છે, મજૂરની ઇજ્જત કરવાની છે. પરંતુ જે મૂર્ખ બનાવે છે. તેની ઇજ્જત કરવાની નથી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
