New Taluka : સાબરકાંઠાના નવા તાલુકાને લઈને વિરોધ, જાણો શું છે પુરો વિવાદ
New Taluka : ગુજરાત સરકારે સાબરકાંઠા જિલ્લામાં નવા તાલુકાઓની જાહેરાત કરી છે, પરંતુ આ નિર્ણયને પગલે એક મોટો વિવાદ ઊભો થયો છે.
ઈડર તાલુકામાંથી જાદરને અલગ કરીને સ્વતંત્ર તાલુકો બનાવવાની વર્ષો જૂની માંગણીને આ જાહેરાતમાં ધ્યાને ન લેવાતા જાદર અને આસપાસના વિસ્તારના લોકોમાં ગંભીર નારાજગી જોવા મળી રહ્યો છે.

આ નિર્ણયે સત્તાધારી ભાજપ પક્ષમાં પણ અસંતોષ ફેલાવ્યો છે. જાદરને તાલુકો ન બનાવવાથી નારાજ થયેલા ભાજપના ઘણા કાર્યકરો અને હોદ્દેદારોએ આ જાહેરાતનો વિરોધ કરવા માટે સામૂહિક રાજીનામા આપ્યા છે.
વિરોધ કરી રહેલા સ્થાનિકોનું કહેવું છે કે જાદર વિસ્તાર લાંબા સમયથી પ્રશાસકીય સુવિધાઓ અને વહીવટી સરળતાના અભાવે અન્યાયનો ભોગ બની રહ્યું છે. નવા તાલુકાની માંગણી માટે અગાઉ પણ અનેક વખત સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી.
જો કે, જ્યારે અન્ય વિસ્તારોમાં નવા તાલુકાઓની રચના કરવામાં આવી ત્યારે જાદરની માંગને સંપૂર્ણપણે અવગણવામાં આવી છે. લોકો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર સ્થાનિક પ્રજાની લાગણીઓ અને તેમની વાજબી માંગણીઓને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ રહી છે.
સ્થાનિકો માને છે કે જાદરને તાલુકો બનાવવાનો મુદ્દો હવે માત્ર એક વહીવટી જરૂરિયાત નહીં, પરંતુ તેમના હક્ક અને લોકગૌરવ સાથે જોડાયેલી લડાઈ બની ગયો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
