જામનગરના પાખંડી સંન્યાસીએ અમદાવાદની મહિલા પર આચર્યુ દુષ્કર્મ
જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલા ભાવાભી ખીજડિયા ગામમાં રહેતા મહાકાલ ભારતી બાપુ નામના વ્યક્તિએ એક ગાયક મહિલા પર દુષ્કર્મ આચર્યુ હતું...
જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલા ભાવાભી ખીજડિયા ગામમાં રહેતા મહાકાલ ભારતી બાપુ નામના વ્યક્તિએ એક ગાયક મહિલા પર દુષ્કર્મ આચર્યુ હતું.

અમદાવાદની આ મહિલા કાર્યક્રમ માટે આ ગામમાં ગઈ હતી. પાખંડીએ મહિલાને કહ્યું હતું કે મહિલા ઉપર ઘાત છે. તેના જીવનું જોખમ હોવાથી કેટલીક વિધી કરવી પડશે. આથી મહિલા સ્ટેજ શો પૂર્ણ થયા બાદ થોડા દિવસ બાદ ફરીથી ભાવાભી ખીજડિયા ગામે આવી હતી. જ્યાં આ ધૂતારાએ વિધીના બહાને તેની પર દુષ્કર્મ આચરતા મહિલાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે આ પાંખડી ત્યાંથી ફરાર થઈ ગયો છે. આથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે.












Click it and Unblock the Notifications
