Sardar Sarovar Dam : સરદાર સરોવર ડેમ છઠ્ઠી વખત છલકાયો, નર્મદાના નીરનું મુખ્યમંત્રીએ કર્યું પૂજન કર્યુ
Sardar Sarovar Dam : ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમ (Sardar Sarovar Dam) માટે આજે એક ઐતિહાસિક દિવસ નોંધાયો છે.
ડેમની જળસપાટી તેની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી છે. નોંધનીય છે કે ડેમ ઇતિહાસમાં આ છઠ્ઠી વખત છે જ્યારે સંપૂર્ણપણે ભરાયો છે.

સરદાર સરોવર ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદીના જળના વધામણાં કર્યા હતા. મુખ્યમંત્રીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત નર્મદાના જળનું પૂજન કર્યું હતું.
પરંપરા મુજબ, તેમણે નર્મદા મૈયાને નાળિયેર અને ચૂંદડી અર્પણ કરીને આ શુભ પ્રસંગની ઉજવણી કરી હતી અને રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
સરદાર સરોવર નર્મદા ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘન મીટર (9460 MCM) છે, જે સંપૂર્ણ ભરાતા આગામી વર્ષ માટે પાણીની સુરક્ષા સુનિશ્ચિત થઈ છે.
આ ડેમ માત્ર સિંચાઈ માટે જ નહીં, પરંતુ પીવાના પાણી માટે પણ કરોડ રજ્જુ સમાન છે. આ ડેમ ગુજરાતના 10,453 ગામો, 190 શહેરો અને 7 મહાનગર પાલિકાઓ સહિત રાજ્યના 4 કરોડથી વધુ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડે છે. ડેમના છલકાવાથી સમગ્ર રાજ્યમાં આનંદની લાગણી છવાઈ છે અને આગામી સમયમાં જળસંકટની ચિંતા હળવી થઈ છે.












Click it and Unblock the Notifications
