Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શંકરસિંહ વાઘેલાના શક્‍તિદળના IT સેલથી નવો વિવાદ

shankarsinh-vaghela
ગાંધીનગર, 9 જુલાઇ : ગુજરાત વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલાએ આઈટી સેલના નામે યુવાલક્ષી પ્રવૃતિ શરૂ કરતા નવા વિવાદની ચિનગારી ભડકી ઉઠી છે. બાપુએ અગાઉ કોંગ્રેસમાં શક્‍તિદળ નામે સ્‍વૈચ્‍છીક સંગઠન બનાવ્યું હતું. તે સમયે તેમની ઉપર સમાંતર સંગઠન ઉભુ કરવાના આક્ષેપો થયા હતા. હવે તેઓ આઈટી સેલમાં કાર્યરત બનતા ‘ઈ' શક્‍તિ દળ ઉભુ કરવાના પ્રયાસ થઈ રહ્યાની ચર્ચા શરૂ થઈ છે.

શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસ પહેલા આઈટી સેલ સાથે સંકડાયેલા કાર્યકરોની બેઠક યોજી હતી. બાપુએ પણ ગુજરાતના અન્ય નેતાઓની જેમ લોકો સુધી પહોંચવા માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું સૂચવ્‍યું હતું.

જો કે બાપુના નવા પરાક્રમ અંગે કોંગ્રેસમાં જ બેમત પ્રવર્તે છે. એક જુથ એવુ માને છે કે બાપુ કોંગ્રેસના આઈટી સેલને ઉપયોગી થવાને બદલે વિપક્ષી નેતા તરીકે નવું આઈટી સેલ બનાવી રહ્યા છે. તેમણે સરકારની કામગીરી પર નજર રાખવી જોઈએ. તેના બદલે સંગઠનમાં તાકાત વધારવા પ્રયાસ કરી રહ્યા છે.

જ્યારે બાપુના ટેકેદારોનું કહેવું છે કે આઈટી સેલને ધમધમતો કરવાથી લોકો સુધી સરળતાથી વ્‍યાપક પ્રમાણમાં પહોંચી શકાશે. આ કોઈ પક્ષ વિરોધી પ્રવૃતિ નથી. શંકરસિંહના પ્રયાસોથી કોંગ્રેસને જ ફાયદો થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X