શંકરસિંહ વાઘેલાના શક્તિદળના IT સેલથી નવો વિવાદ

શંકરસિંહ વાઘેલાએ થોડા દિવસ પહેલા આઈટી સેલ સાથે સંકડાયેલા કાર્યકરોની બેઠક યોજી હતી. બાપુએ પણ ગુજરાતના અન્ય નેતાઓની જેમ લોકો સુધી પહોંચવા માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું સૂચવ્યું હતું.
જો કે બાપુના નવા પરાક્રમ અંગે કોંગ્રેસમાં જ બેમત પ્રવર્તે છે. એક જુથ એવુ માને છે કે બાપુ કોંગ્રેસના આઈટી સેલને ઉપયોગી થવાને બદલે વિપક્ષી નેતા તરીકે નવું આઈટી સેલ બનાવી રહ્યા છે. તેમણે સરકારની કામગીરી પર નજર રાખવી જોઈએ. તેના બદલે સંગઠનમાં તાકાત વધારવા પ્રયાસ કરી રહ્યા છે.
જ્યારે બાપુના ટેકેદારોનું કહેવું છે કે આઈટી સેલને ધમધમતો કરવાથી લોકો સુધી સરળતાથી વ્યાપક પ્રમાણમાં પહોંચી શકાશે. આ કોઈ પક્ષ વિરોધી પ્રવૃતિ નથી. શંકરસિંહના પ્રયાસોથી કોંગ્રેસને જ ફાયદો થશે.












Click it and Unblock the Notifications
